Thursday, April 18, 2024
Homeખબર સ્પેશીયલમળો છેલ્લા 11 વર્ષથી કૃષ્ણ ભક્તિમાં લીન એવા દ્વારકાના કલાકારને

મળો છેલ્લા 11 વર્ષથી કૃષ્ણ ભક્તિમાં લીન એવા દ્વારકાના કલાકારને

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં રહેતા લોકો હંમેશા કૃષ્ણ ભક્તિમાં કોઈને કોઈ રીતે લીન રહેતા હોય છે. હિતેન ઠાકરએ પણ કૃષ્ણ ભક્તિમાં છેલ્લા 11 વર્ષથી લીન છે. હિતેન ઠાકર 11 વર્ષથી કૃષ્ણ લીલાનુ આયોજન કરે છે અને તેમાં કૃષ્ણનું પાત્ર પણ ભજવે છે સાથે તેઓ કૃષ્ણના ચિત્રો બનાવે છે અને કૃષ્ણના ટેટુ બનાવે છે.

- Advertisement -

ગુજરાતની દક્ષિણમાં જગતના નાથ ભગવાન શ્રીકૃષ્ણ દ્રારકામાં બિરાજે છે જ્યા કૃષ્ણનો કણ-કણમાં વાસ છે, અહીં રહેતા લોકો પણ કૃષ્ણ રંગમાં રંગાયેલા છે અને કૃષ્ણભક્તિમાં લીન જોવા મળે છે. એક એવા જ ઉમદા કલાકાર હિતેન ઠાકર છે જે વર્ષોથી માત્ર ભગવાન કૃષ્ણના ટેટુ અને ચિત્ર બનાવે છે અને કૃષ્ણ લીલામાં દ્વારકાનો ટેટુ આર્ટીસ્ટ છેલ્લા 11 વર્ષથી ભજવી રહ્યો છે કૃષ્ણનું પાત્ર. દ્વારકાના ટેટુ આર્ટીસ્ટ છેલ્લા 11 વર્ષથી ભજવી રહ્યા છે શ્રીકૃષ્ણનું પાત્ર.

ખબર ગુજરાત સાથે વાતચીત દરમિયાન કલાકાર હિતેન ઠાકરે જણાવ્યું કે તેઓ છેલ્લા 11 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન કૃષ્ણ લીલનું દ્વારકામાં આયોજન કરે છે, જેમાં ભગવાન કૃષ્ણના જન્મ થી લઈને દ્વારકા નગરીમાં તેમના શાસન સુધીનું નાટયાઅંતર કરવામાં આવે છે. જેમાં તેઓ ટીમ લોકનૃત્યથી લઈને લોકગીતમાં ભગવાન કૃષ્ણનાં વિવિધ સ્વરૂપો રજૂ કરે છે, જેમાં હિતેન ઠાકર સમગ્ર કૃષ્ણલીલા કોરિયોગ્રાફ કરે છે અને ભગવાન કૃષ્ણનું નૃત્યુ પણ કરે છે. હિતેન ઠાકર ધરાવે છે બહુમુખી પ્રતિભા દ્વારકા નગરીમાં ભગવાન કૃષ્ણના અનોખો મહિમા છે, અહીં દેશ-વિદેશથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે આ શ્રદ્ધાળુઓ ભગવાન કૃષ્ણના ટેટુ પણ હિતેન ઠાકર પાસે બનાવડાવે છે ઠાકર માત્ર ભગવાન કૃષ્ણના ચિત્રો બનાવે છે જે ચિત્રોની પણ ખૂબ માંગ છે અને તેમના ચિત્રો અનેક લોકો વેચાતા પણ લઈ જાય છે. દ્વારકામાં રહેતા હિતેન ઠાકર બહુમુખી પ્રતિભા ધરાવે છે અને ટેટુ આર્ટીસ્ટથી લઈને ભગવાન કૃષ્ણના પાત્રમાં પણ તેઓ બંધબેસતા હોય છે અને જેના કારણે જ છેલ્લા 11 વર્ષથી તેઓ ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular