Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરવૃજ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર નેશનલ ડેવલપમેન્ટ રિયલ એસ્ટેટ ડેવ. સેલના પ્રમુખ નિમાયા

વૃજ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર નેશનલ ડેવલપમેન્ટ રિયલ એસ્ટેટ ડેવ. સેલના પ્રમુખ નિમાયા

- Advertisement -
નેશનલ રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સિલ ઓલ ઇન્ડિયાના પ્રમુખ તરીકે જામનગરના વૃજ ગ્રુપના એમ.ડી. જય મોરઝરિયાની નિમણૂક થઈ છે. વૃજ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર જય મોરઝરિયાએ પોતાના કામ પ્રત્યેની સમર્પણથી નાની ઉંમરે જ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેથી તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
જય મોરઝરિય ડેવલપમેન્ટ કાઉન્સિલ નેક્સ્ટઝનના વર્ષ 2021 માં બે વર્ષ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે. ડિસેમ્બર 2021 માસમાં જમ્મુ-કાશ્મીરમાં રાજકીય આગેવાનોની હાજરીમાં નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં જય મોરઝરિયાને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ બેઠકમાં કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ તેમજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ વિભાગના મંત્રી હરદિપસિંહ પુરી, વડાપ્રધાન કાર્યાલયના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજસિંહ, આઈએએસ દુર્ગાશંકર મિશ્રા, ધીરજગુપ્તા, જમ્મુના મેયર ચંદ્રમોહન ગુપ્તા, શ્રીનગરના મેયર અઝીમ મટુ, આઈએએસ સેક્રેટરી અરુણકુમાર મહેતા, હીરાનંદાની ગ્રુપના એમ.ડી. નિરંજન હીરાનંદાની, સહિતના સભ્યો- આગેવાનો તથા હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં આ સંસ્થા દેશના 11 રાજ્યોમાં કાર્યરત છે. જેની સ્થાપના વર્ષ 1998માં ધારાશાસ્ત્રી શ્રી રામ જેઠમલાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular