Thursday, March 28, 2024
Homeરાજ્યહાલારલતીપુર તાલુકા શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમનો કૃષિમંત્રી દ્વારા શુભારંભ

લતીપુર તાલુકા શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમનો કૃષિમંત્રી દ્વારા શુભારંભ

લતીપુર તાલુકા શાળામાં ધો.1 માં 59 બાળકોએ તથા આંગણવાડીના 30 ભુલકાઓએ વિદ્યારંભ તરફ ડગલું માંડયું, બાળકોના અભ્યાસનો પાયો મજબૂત બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

- Advertisement -

23મી જુનથી રાજ્યભરમાં ત્રિદિવસીય ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ-2022-23 કાર્યક્રમની શરૂઆત થઈ છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના લતીપુર ગામે રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. લતીપુર તાલુકા શાળામાં આજે ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.1માં 59 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. કૃષિમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતાં. તેમજ આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર 30 જેટલા ભૂલકાઓને રમકડાંની કીટ આપી સુખડી અને ચોકલેટથી મો મીઠું કરાવીને પાપા પગલી કરાવી હતી. તેમજ આંગણવાડીના બહેનોને કીટ વિતરણ કરવામાં આવી હતી.

- Advertisement -

આ કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, બાળકોના શિક્ષણનું પ્રથમ પગથિયું આંગણવાડી છે અને પ્રાથમિક શિક્ષણએ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો પાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેથળ સરકાર વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્તર ઊંચુ લાવવાના સતત પ્રયાસો કરી રહી છે. અને તેમના અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિથી માંડીને વિદેશ જવા સુધીની યોજનાઓ અમલમાં મૂકી છે, જેના પરિણામે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરે. ક્ધયા કેળવણી માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ અવ્વલ છે. વધુમાં મંત્રીએ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વાલીઓને સૂચન આપતા જણાવ્યું હતું કે પેટે પાટા બાંધીને પણ તમારા બાળકોને ભણાવજો, ભવિષ્યમાં તેનું વળતર વ્યાજ સાથે મળશે. તેમજ શિક્ષકોને પણ ગુણોત્સવ પર ભાર આપવા તેમજ અભ્યાસક્રમથી માંડીને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં બાળક અવ્વલ રહે તે પ્રકારે શિક્ષણ આપવા જણાવ્યું હતું. બાદમાં શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. શાળામાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. અને ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય મનસુખભાઈ ચામાડિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગજેન્દ્રસિંહ જાડેજા, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ખાંટ, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મૂંગરા, તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ બારૈયા, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ હસમુખભાઈ સરવૈયા, શાળાના આચાર્ય મીનાબેન, મનસુખભાઈ ચભાડીયા, ગણેશભાઈ મુંગરા, સેવા સહકારી મંડળીના પ્રમુખ ગણેશભાઈ રામાણી, પદાધિકારીઓ તેમજ અધિકારીઓ, દાતાઓ, જખઈ નાં સદસ્યો, આગેવાનો શિક્ષકગણ, આંગણવાડીના બહેનો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular