Thursday, May 22, 2025
Homeવિડિઓલાલપુરના જોગવડ ગામે તંત્ર દ્વારા ૭૧૫ ચો.મી. જગ્યામાં બુલડોઝર ફરી વળ્યુ -...

લાલપુરના જોગવડ ગામે તંત્ર દ્વારા ૭૧૫ ચો.મી. જગ્યામાં બુલડોઝર ફરી વળ્યુ – VIDEO

અનધિકૃત દબાણ દૂર કરી રૂ.૧ કરોડથી વધુ કિંમતની જમીન ખુલી કરાવાઈ

જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો શોધી કાઢી દુર કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે લાલપુર તાલુકાના જોગવડ ગામે સરકારી ખરાબાના રે.સ.નં.૨૨૩ તથા ૨૩૧માં કુલ ક્ષેત્રફળ ૭૧૫ ચો.મી. જમીનમા વિવિધ આસામીઓ દ્વારા અનધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. જે તંત્ર દ્વારા દુર કરી પુનઃ સરકારી કબજો મેળવવામાં આવ્યો છે. આ જમીનની અંદાજીત રકમ રૂ.૧કરોડ ૧૪લાખ ૪૦હજાર જેટલી થાય છે.

- Advertisement -

આ કામગીરીમાં લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, મામલતદાર, પોલીસ વિભાગ તથા લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular