Friday, March 29, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં ખનીજચોરો પાસેથી રૂા. 234 કરોડની વસૂલાત થતી નથી !

દ્વારકા જિલ્લામાં ખનીજચોરો પાસેથી રૂા. 234 કરોડની વસૂલાત થતી નથી !

પોલીસકેસ ઓછાં થતાં હોવાથી, ખનીજમાફિયાઓ બેફામ

- Advertisement -

ગુજરાતમાં 31મી ડિસેમ્બર 2020ની સ્થિતિએ ખનિજ ચોરો પાસેથી 1946.58 કરોડ જેટલી માતબર રકમ વસૂલવા કરવાની બાકી છે, ગુજરાત સરકાર હજુ આ રકમ વસૂલ કરી શકી નથી. ખનિજ ચોરી અંતર્ગત કરવામાં આવેલા દંડ પેટે માતબર રકમ વસૂલવાની બાકી છે, તે પૈકી બે વર્ષથી વસૂલવાની બાકી રકમ 907.70 કરોડ અને બે વર્ષ કરતાં વધુ સમયથી વસૂલવાની બાકી રકમ 1038.87 કરોડ જેટલી માતબર રકમ વસૂલવાની બાકી છે.

- Advertisement -

ગુજરાત વિધાનસભા ગૃહમાં બુધવારે વિપક્ષ કોંગ્રેસના સવાલના જવાબમાં રાજ્ય સરકારે આ માહિતી આપી છે. વિપક્ષ કોંગ્રેસનું કહેવું છે કે, ખનિજ માફિયાઓ ખનિજ ચોરી કરતાં પકડાય ત્યારે દંડની રકમ પણ ભરપાઈ કરતાં નથી અને રાજ્ય સરકાર અને તંત્ર આ દંડની રકમ વસૂલાતના હુકમો કરીને સંતોષ માને છે. માત્ર ગણ્યાગાંઠયા કિસ્સામાં જ પોલીસ કેસ કરવામાં આવતાં હોવાથી રાજ્યમાં ખનિજ માફિયા બેફામ બન્યા છે.

રાજ્ય સરકાર દ્વારા જવાબમાં કહેવાયું છે કે, દંડની વસૂલાત માટે કારણદર્શક નોટિસ આપવામાં આવે છે આ ઉપરાંત દંડ વસૂલાતના હુકમ કરાય છે, સાથે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં 46758.54 લાખ, પોરબંદર જિલ્લામાં 46,302.17 લાખ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 23383.04 લાખ, ગીરસોમનાથમાં 13301.31 લાખ રકમ ખનિજ ચોરી બદલ વસૂલવાની બાકી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular