ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે જામનગરથી મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓ પગપાળા વિવિધ ધાર્મિક સ્થળોએ જઈ રહ્યા છે. ખાસ કરીને ઠેબા ચોકડીથી આગળના માર્ગ પર પગપાળા જતા લોકોની અવરજવર વધતા તેમની સુરક્ષા માટે જામનગર હોમગાર્ડ્ઝ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
પગપાળા જતા ભક્તો રાત્રિના સમયે વાહનચાલકોને સરળતાથી નજરે પડે અને અકસ્માતનું જોખમ ઘટે તે હેતુથી માર્ગ પર રેડિયમ રિફ્લેક્ટર પટ્ટીઓ લગાવવામાં આવી છે. વાહનની લાઇટ પડતાં આ રિફ્લેક્ટર ચમકતા હોવાથી અંધારામાં પણ પગપાળા જતા લોકોની હાજરી વાહનચાલકોને દૂરથી નજરે પડી શકે છે.
View this post on Instagram
ગણેશ ચતુર્થી દરમિયાન મોટી સંખ્યામાં લોકો પગપાળા અવરજવર કરતા હોવાથી માર્ગ પર ટ્રાફિકનું પ્રમાણ પણ વધે છે. આવી સ્થિતિમાં અકસ્માત નિવારવા અને ભક્તોની સુરક્ષા જળવાઈ રહે તે માટે હોમગાર્ડ્ઝની આ પહેલ ઉપયોગી સાબિત થઈ રહી છે.
હોમગાર્ડ્ઝ દ્વારા સુરક્ષાને પ્રાથમિકતા આપી કરવામાં આવેલી આ કામગીરીથી પગપાળા જતા ભક્તોમાં પણ સુરક્ષાની લાગણી જોવા મળી રહી છે.


