Sunday, April 27, 2025
Homeબિઝનેસ31 માર્ચ પહેલાં જીએસટી એમનેસ્ટી સ્કીમનો લાભ લઇ શકાશે

31 માર્ચ પહેલાં જીએસટી એમનેસ્ટી સ્કીમનો લાભ લઇ શકાશે

રાજ્ય કર વિભાગ, જામનગર દ્વારા તમામ કરદાતાઓને GST એમનેસ્ટી સ્કીમ હેઠળ એકમાત્ર તક આપવામાં આવી રહી છે. CGST અધિનિયમ, 2017 ની કલમ 128અ હેઠળ અમલમાં આવેલી આ યોજનામાં ફક્ત વેરો ભરવાથી વ્યાજ અને દંડમાં માફી આપવામાં આવશે, જેથી વેપારીઓને તેમના જૂના કેસોનો નિકાલ આવશે અને ભવિષ્યમાં compliances સુધડ અને વ્યવસ્થિત બનાવવામાં માટે મદદરૂપ થશે.

- Advertisement -

સ્કીમ હેઠળ ઉપલબ્ધ લાભો
વ્યાજ અને દંડ માફી:
વર્ષ 2017-18, 2018-19 અને 2019-20 માટે કલમ 73 હેઠળનાં આદેશ પસાર થયેલ હોય તેમજ ફક્ત નોટીસ ઇસ્યુ થયેલ હોય તેવા કેસોમાં ફક્ત વેરાની ચુકવણી 31 માર્ચ 2025 સુધી કરવાથી વ્યાજ અને દંડથી મુક્તિ મળશે.

ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) બાબત રાહત:
નવેમ્બર 2021 સુધીના કલમ 16(4) હેઠળ ઉપસ્થિત થયેલ હોય તેવા માંગણાં માટે જીએસટી પોર્ટલ પર ઓનલાઇન આદેશનાં સુધારા માટે અરજી કરવાથી વેરાશાખમાં લાભ મળી શકશે.

- Advertisement -

મોડા GSTR-9C ફાઇલિંગ માટેની લેટે ફી માફ:
વર્ષ 2017-18 થી 2022-23 સુધીના GSTR-9C રિટર્ન જો 31 માર્ચ 2025 સુધી ફાઇલ કરાશે તો લેટે ફી માં રાહત આપવામાં આવશે.

આ સ્કીમનો લાભ કોણ લઈ શકે?
જે કરદાતાઓએ 2017-18, 2018-19 અને 2019-20 માટે આદેશ કલમ 73 હેઠળ આદેશ પસાર થયેલ હોય અને લેણાં ભરવાનાં બાકીમાં હોય તે કરદાતા લાભ લઇ શકશે.

- Advertisement -

જે કરદાતાઓએ કલમ 73 હેઠળ નોટીશ મેળવેલ હોય પરંતુ આદેશ પસાર ન થયેલ હોય તે પણ લાભ મેળવી શકશે.

જે કરદાતાએ અપીલ ફાઇલ કરેલ હોય તેમને અપીલ પાછી ખેચવાની શરતે લાભ મેળવી શકશે. કલમ 16(4) હેઠળની વર્ષ 2017-18 થી 2020-21 સુધીની વેરાશાખ હવે 30-11-2021 સુધીમાં લીધેલ હશે તો વેરાશાખ મળી શકશે.

જેમણે 2017-18 થી 2022-23 સુધીના GSTR-9C રિટર્ન મોડથી ફાઇલ કરેલ છે તેવા કરદાતાઓને લેટ ફીમાં માફી મળી શકશે.

એમનેસ્ટી સ્કીમનો લાભ લેવા કરદાતાઓએ શું કરવું?
કરદાતાની બાકી જવાબદારીઓની સમીક્ષા કરી અને કુલ બાકી બાબતે જીએસટી પોર્ટલ (www.gst.gov.in) પર લોગિન કરી અને બાકી લેણાંની રકમ ચકાસો. જો કોઈ બાકી લેણાંની નોટીસ મળી હોય, તો તેની વિગતો ચકાસી લો. કરદાતાઓ તેઓનાં ટેક્ષ કંન્સલટન્ટ તેમજ ચાર્ટર્ડ અકાંન્ટન્ટનો સંપર્ક કરી બાકી લેણાં વિશે વધુ વિગતો મેળવી શકશે.

SPL 01 અને SPL 02 ફોર્મ ફાઇલ કરો
જે કરદાતાઓને નોટીસ મળેલ છે અને આદેશ પસાર થયેલ નથી તેવા કરદાતાઓને SPL SPL 01 માં અને જે કરદાતાઓનો આદેશ પસાર થયેલ છે તેવા કરદાતાઓને SPL 02 માં તા. 31-03-2025 સુધીમાં વેરાની ચુકવણી કરી અને તા: 30-06-2025 સુધીમાં જીએસટી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ટેક્સની ચૂકવણી કરો
31 માર્ચ 2025 પહેલા બાકી રહેલી ટેક્સ રકમ ભરવી જરૂરી છે.
જો તમારૂં SCN કલમ 73 હેઠળ છે, તો વ્યાજ અને દંડની માફ મળશે.

અરજી માટે જરૂરી દસ્તાવેજો
ઉક્ત એમનેસ્ટી સ્કીમમાં અરજી કરવા માટે વેરાનું ચુકવણું કર્યાની વિગતો અને આદેશની વિગતો સાથે જો અપીલ કરેલ હોય તો તે પાછી ખેચેલ છે તેની પહોંચ સાથે રાખવાની રહેશે.
ITC બાબતમાં રાહત મેળવવા માટે નવેમ્બર 2021 સુધીના તમામ સંબંધિત દસ્તાવેજો મેળવી સમય મર્યાદામાં ઓનલાઇન સુધારા આદેશ માટે અરજી કરવાની રહેશે.

અપીલ પાછી ખેચવાની રહેશે
જો કોઈ કેસમાં કરદાતાએ અપીલ કરેલ હોય અને તે અપીલ કક્ષાએ પેન્ડિંગ હોય તો તેને પાછી ખેંચી અને એમનેસ્ટી સ્કીમ માટે અરજી કરવાની રહેશે.

31 માર્ચ પહેલા પેમેન્ટ અને 30 જૂન સુધી અરજી
તા: 31 માર્ચ 2025 પહેલા સમગ્ર ભરવાપાત્ર વેરાનું ઓનલાઇન જીએસટી પોર્ટલ પર પેમેન્ટ કરવું જરૂરી છે. તા.30 જૂન 2025 પહેલા અરજી (SPL-02) સબમિટ કરવાની રહેશે.

સુસંગતતા જાળવો
ભવિષ્યમાં વેરાકીય જવાબદારી સામે મિલકત ઉપર કાયદાકીય પગલાની આડઅસરો ટાળવા માટે રેગ્યુલર રિટર્ન્સ ફાઇલિંગ ચાલુ રાખો અને બાકી લેણાંની જવાબદારી એમનેસ્ટી સ્કીમ હેઠળ ચુકવણી કરી અને વસુલાતનાં આકરા પગલામાંથી મુક્તિ મેળવો.

કરદાતાઓ માટે છેલ્લી તક
રાજ્ય કર વિભાગે તમામ વેપારીઓ અને કરદાતાઓને આ તકનો લાભ લેવા અને તેમના બાકી પેમેન્ટ્સ 31 માર્ચ 2025 પહેલા ભરવા અનુરોધ કર્યો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કર સલાહકારોને પણ વિનંતી છે કે તેઓ તેમના કરદાતાઓને આ યોજના અંગે જાગૃતિ લાવવામાં મદદ કરે.

બાકી વસૂલાત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
જીએસટી કાયદાની બાકી વસુલાત અંન્વયે જે કરદાતાઓનાં લેણાં બાકી છે તેવા કરદાતાઓ અપીલ ફાઇલ નથી કરતા કે એમનેસ્ટી સ્કીમ હેઠળ ભાગ પણ નથી લેતા અને વેરો ટાળવાનો પ્રયત્ન કરે છે તેવા કરદાતાઓ સામે જીએસટી કાયદા હેઠળનાં નિયમો અને જોગવાઇઓને આધિન સરકારી લેંણાંની વસુલાત માટે બેંક ટાંચ અને મિલ્કત ટાંચ જેવા આકરા પગલા લેવામાં આવશે. વધુ માહિતી માટે આપનાં કાર્યક્ષેત્ર હેઠળની રાજ્ય વેરા કચેરીનો સંપર્ક કરી શકો છો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular