Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પરિણીતાની આત્મહત્યાથી અરેરાટી

જામનગર શહેરમાં પરિણીતાની આત્મહત્યાથી અરેરાટી

યુવતીએ ગળેટૂંપો દઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર શહેરના સુભાષ શાકમાર્કેટ પાસેના ભોયવાડામાં રહેતી યુવતીએ તેણીના ઘરે સોમવારે બપોરના સમયે અગમ્યકારણોસર છતના હૂંકમાં દુપટ્ટા વડે ગળેટૂંપો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આત્મહત્યાના વધુ એક બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ભોયવાડા વિસ્તારમાં ભોયસમાજવાડી સામે રહેતા જયશ્રીબેન જીતેન્દ્રભાઇ ગોંડલિયા (ઉ.વ.24) નામની પરિણીત યુવતીએ સોમવારે બપોરના સમયે અગમ્ય કારણોસર તેના ઘરે છતના હુંકમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ મૃતકના પતિ જિતેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવતા પીએસઆઈ ટી.ડી.બુડાસણા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પતિના નિવેદનના આધારે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular