Saturday, March 15, 2025
Homeરાષ્ટ્રીયઆઝાદી બાદ પ્રથમ વખત મહિલાને ફાંસી અપાશે, જાણો શા માટે મોતની સજા...

આઝાદી બાદ પ્રથમ વખત મહિલાને ફાંસી અપાશે, જાણો શા માટે મોતની સજા અપાઈ

- Advertisement -

આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત એવું થઇ રહ્યું છે કે કોઈ મહિલાને ફાંસી આપવામાં આવશે. આઝાદી બાદ અત્યાર સુધી કોઈ મહિલાને ફાંસી આપવામાં આવી નથી.દેશ આઝાદ થયા બાદ પુરુષોને ફાંસી આપવામાં આવી છે. પરંતુ કોઈ મહિલાને ફાંસી આપવામાં આવી નથી. આ પ્રથમ ઘટના બનશે.

- Advertisement -

અમરોહની રહેવાસી શબનમે એપ્રિલ 2008માં પ્રેમી સાથે મળીને પોતાના જ પરિવારના સાત સભ્યોની કૂહાડીથી કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે શબનમની ફાંસીની સજાને યથાવત રાખી હતી. રાષ્ટ્રપતિએ પણ તેની દયા અરજી ફગાવી દીધી છે. જેથી આઝાદી પછી શબનમ પહેલી મહિલા કેદી હશે જેને ફાંસી પર લટકાવવામાં આવશે. મથુરા જેલમાં 150 વર્ષ પહેલા મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું હતું. પરંતુ આઝાદી બાદ ત્યાં એક પણ મહિલાને ફાંસી આપવામાં આવી નથી.

વરિષ્ઠ જેલ અધીક્ષક શૈલેન્દ્ર કુમાર મૈત્રેયે જણાવ્યું કે, હજુંસુધી ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ અમે તૈયારી શરૂ કરી દીધી છે. ડેથ વોરંટ આવતાની સાથે જ ફાંસી આપી દેવામાં આવશે. જેલ અધિક્ષક પવન જલ્લાદને બે વાર ફાંસીઘરનું નિરીક્ષણ કરવા મોકલવામાં આવ્યા હતા. તેને તખ્તામાં કમી દેખાઇ હતી જેના કારણે બિહારના બક્સરથી ફાંસીની રસ્સી મંગાવવામાં આવી છે. અને કોઈ અડચણ નહી આવે તો આઝાદી બાદ પ્રથમ વખત કોઈ મહિલાને ફાંસી આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular