Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વસઇ નજીક કાર અને રિક્ષા અથડાતા પાંચ ધાયલ

જામનગરના વસઇ નજીક કાર અને રિક્ષા અથડાતા પાંચ ધાયલ

ઇજાગ્રસ્તોને જી.જી.હોસ્પિટલ ખસેડાયા: બે ની હાલત ગંભીર

- Advertisement -

જામનગર તાલુકાના વસઇ અને આમરા ગામ વચ્ચેના માર્ગ પર આજે સાંજના સમયે એક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે વિદ્યાર્થી સહિત પાંચ વ્યકિતઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના વસઇ અને આમરા ગામ વચ્ચેના માર્ગ પર આજે સાંજના સમયે પેસેન્જર રિક્ષા અને કાર સામસામા અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે વિદ્યાર્થી સહિત કુલ પાંચ વ્યકિતઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં બે વ્યકિતની હાલત ગંભીર હોવાનું તબિબિ સુત્રો માંથી જાણવા મળે છે. બનાવની જાણ થતાં પોલીસે હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી જઇ ગુનો નોંધવા તજવીજ હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular