Sunday, April 27, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં નંદનવન સોસાયટીમાં જામ્યુકોની જુની વોર્ડ ઓફિસનું ડિમોલિશન

જામનગરમાં નંદનવન સોસાયટીમાં જામ્યુકોની જુની વોર્ડ ઓફિસનું ડિમોલિશન

જામનગરમાં રણજીતસાગર રોડ ઉપર નંદનવન સોસાયટી પાસે આવેલી જુની વોર્ડ ઓફિસનું બાંધકામ જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું છે.

- Advertisement -

ઘણાં લાંબા સમયથી જર્જરીત અવસ્થામાં રહેલી આ વોર્ડ ઓફિસનું બાંધકામ જોખમી બની ગયું હોય, તેમજ નવી વિકાસ યોજનાના ભાગરુપે જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા જેસીબીથી આજે સવારે આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. એસ્ટેટ વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ આ કામગીરી કરવામાં આવી છે. અહીં નવી વોર્ડ ઓફિસ બનાવવામાં આવે છે કે પછી અન્ય કોઇ ઉપયોગ માટે, આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવશે? તે અંગે હવે નિર્ણય લેવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular