Saturday, April 20, 2024
Homeરાજ્યદિકરીના પ્રસંગની ખરીદી કરવા જતાં પાણીના પ્રવાહમાં તણાઇ જતાં માતા-પિતાનું મોત

દિકરીના પ્રસંગની ખરીદી કરવા જતાં પાણીના પ્રવાહમાં તણાઇ જતાં માતા-પિતાનું મોત

- Advertisement -

- Advertisement -

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના દંપતી આજે સવારે તેમની દિકરીના પ્રસંગની ખરિદી માટે તેમની સેન્ટ્રો કારમાં રાજકોટ જતાં હતાં ત્યારે સમાણા નજીક રડાર પાસેના કોઝવે પરથી પસાર થતાં સમયે કાર નદીના પ્રવાહમાં ફસાઇ જતાં રેસ્કયૂ દ્વારા ગ્રામજનોએ દંપતીને બહાર કાઢી હોસ્પિટલે ખસેડાતા ત્યા બંન્નેના મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું.

ઘટનાની વિગત મુજબ પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકમાં રેહતાં રમેશભાઇ નારણભાઇ અધેરા(ઉ.વ.50) અને તેમના પત્નિ મનિષાબેન રમેશભાઇ અધેરા(ઉ.વ.47) બંન્ને આજે વહેલી સવારના તેમની દિકરીના પ્રસંગ માટે ખરિદી કરવા તેમની સેન્ટ્રો કારમાં રાજકોટ જતાં હતાં. ત્યારે જામજોધપુર તાલુકાના સમાણા રડાર પાસે આવેલાં કોઝવે પર પહોંચ્યા ત્યારે આ કોઝવે પરના પાણીના પ્રવાહમાં તણાઇ ગયા હતાં. આ અંગેની જાણ થતાં પીએસઆઇ ઝાલા અને સ્ટાફ તથા સ્થાનિક ગ્રામજનોએ સ્થળ પર પહોંચી જઇ રેસ્કયૂ કરી કારમાં રહેલાં રમેશભાઇ અને તેમના પત્ની મનિષાબેનને સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં દંપતિનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. જેથી પોલીસે દંપતિના મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular