Friday, April 19, 2024
Homeસ્પોર્ટ્સIPL પર કોરોનાનું સંકટ, KKR ટીમના આ પ્લેયરને થયો કોરોના

IPL પર કોરોનાનું સંકટ, KKR ટીમના આ પ્લેયરને થયો કોરોના

- Advertisement -

આઈપીએલ (ઇન્ડીયન પ્રીમિયર લીગ) શરુ થાય તે પહેલા જ કોલકત્તા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. કેકેઆરનો બેટ્સમેન નિતીશ રાણા કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. સૂત્રો અનુસાર તે ગોવામાં રજાઓ ગાળ્યા બાદ ટીમ સાથે જોડાયો હતો. બે દિવસ પહેલા જ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

- Advertisement -

IPLની 14મી સીઝન શરૂ થાય એના 8 દિવસ પહેલાં જ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો પ્લેયર નીતીશ રાણા કોરોનાથી સંક્રમિત થયો હોવાના સમાચાર છે. રિપોર્ટ અનુસાર  નિતીશ રાણા મુંબઈની એક હોટલમાં ક્વોરન્ટાઈન છે.  ડોક્ટરની ટીમ તેની દેખરેખ કરી રહી છે. IPLની 14મી સીઝન 9 એપ્રિલથી શરૂ થાય છે. ફાઈનલ 30 મેના રોજ થશે. KKRની પ્રથમ મેચ 11 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદની સાથે છે.

આ ટૂર્નામેન્ટ આ વખતે ભારતમાં જ રમાશે, લગભગ બે વર્ષ બાદ આઇપીએલ ભારતમાં પરત ફરી છે. લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાનો પર મેચો રમશે, 56 લીગ મેચોમાંથી ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ અને બેંગ્લુંરમાં 10-10 મેચ રમાશે. નિતીશ રાણાએ IPLમાં અત્યારસુધીમાં રમેલી 60 મેચમાં 28.17ની સરેરાશથી 1437 રન બનાવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular