Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયકોરોના પર અંકુશ, સંક્રમણ પીક થી 60 ટકા ઘટયું

કોરોના પર અંકુશ, સંક્રમણ પીક થી 60 ટકા ઘટયું

દેશમાં 24 કલાકમાં નવા 1.75 લાખ કેસ નોંધાયા : મૃત્યુઆંક 3,617: 2,84,601 દર્દીઓ સાજા થયા

- Advertisement -

દેશમાં છેલ્લા થોડા દિવસથી કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે દેશમાં કોરોનાના આશરે 1.75 લાખ જેટલા નવા કેસ સામે આવ્યા હતા. આ આંકડો છેલ્લા 46 દિવસમાં કોરોનાના નવા કેસનો સૌથી ઓછો આંકડો છે. ગુરૂવારે દેશમાં કોરોનાના નવા 1.86 લાખ કેસ સામે આવ્યા હતા. જો કે દૈનિક મૃતકઆંક હજુ પણ 3,000થી ઉંચો જ છે. છેલ્લા 32 દિવસથી દરરોજ સરેરાશ 3,000 લોકો મૃત્યુ પામી રહ્યા છે. 26 એપ્રિલના રોજ 2,766 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ આ આંકડો 3,000ની ઉપર જ જળવાઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં શુક્રવારે કોવિડ-19ના 20,740 નવા કેસ સામે આવ્યા હતા જેથી રાજ્યમાં સંક્રમણના કુલ કેસ વધીને 56,92,920 થઈ ગયા છે. જ્યારે 424 દર્દીઓના મૃત્યુ સાથે રાજ્યમાં આ મહામારીના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 93,198 થઈ ગઈ છે.

પશ્ર્ચિમ બંગાળમાં કોરોના વાયરસના 12,193 કેસ સામે આવ્યા અને 145 લોકોના મોત થયા. આ સાથે જ 19,396 લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પણ ગયા હતા. રાજ્યમાં હાલ સક્રિય કેસની સંખ્યા 1,09,806 જેટલી છે.
ગુજરાતમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના 2,521 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ પ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 8,03,387 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના અહેવાલ પ્રમાણે સંક્રમણના કારણે પ્રદેશમાં વધુ 27 લોકોના મોત થયા છે જેથી રાજ્યનો મૃતકઆંક 9,761 થઈ ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular