ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીએ પોતાની અદભૂત બોલિંગ સાથે દુબઈના મેદાન પરનો પોતાનો ‘કલંક’ દૂર કર્યો. 2021ના ટી20 વર્લ્ડ કપમાં તેઓ દુબઈના મેદાન પર ત્રણ મેચ રમ્યા હતા, પરંતુ એકપણ વિકેટ મેળવી શક્યા ન હતા. હવે ચાર વર્ષ પછી, તેમણે એક જ મેચમાં પાંચ વિકેટ લઈ દુબઈમાં પોતાની મિસ્ટ્રી સ્પિનનો જાદુ ફરીથી સાબિત કર્યો.

વરુણ ચક્રવર્તી 2021ના ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતા. ખાસ કરીને, ભારત અને પાકિસ્તાન વચ્ચેના પ્રથમ મુકાબલામાં તેમણે ભાગ લીધો હતો. તે મેચમાં તેઓ વિકેટ વિહોણા રહ્યા હતા, અને તે વાત નિમિત્તે કઈ મોટી ચર્ચા થઈ નહોતી, કારણ કે આખી ટીમની પરફોર્મન્સ નિરાશાજનક હતી. જો કે, ત્યારબાદ પણ તેઓ ન્યૂઝીલેન્ડ અને સ્કોટલૅન્ડ વિરુદ્ધ વિકેટ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે મિસ્ટ્રી સ્પિનર તરીકે તેમની ક્ષમતાને લઈને સવાલ ઉઠવા લાગ્યા. પરિણામે, તેઓ ત્રણ વર્ષ સુધી ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યા નહોતા.
હવે વરુણ ચક્રવર્તીએ ફક્ત ટી20 નહીં, પણ વનડે ક્રિકેટમાં પણ પોતાની અસર છોડી છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાના પ્રથમ વનડેમાં જ તેમણે પાંચ વિકેટ મેળવી, અને તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી ડેબ્યૂમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ ભારતીય સ્પિનર બન્યા. ઉપરાંત, વરુણે પોતાના બીજા જ વનડેમાં પાંચ વિકેટ લઈને એક નવો રેકોર્ડ પણ બનાવ્યો. અગાઉ 2014માં, સ્ટુઅર્ટ બિન્નીએ બાંગ્લાદેશ વિરુદ્ધ મીરપુરમાં માત્ર 4 રનમાં 6 વિકેટ લઈ આ સિદ્ધિ મેળવી હતી.
An interesting take from the former coach ahead of India’s knockout semi-final against Australia at the #ChampionsTrophy 🤔https://t.co/1LPUvLLzgV
— ICC (@ICC) March 3, 2025
પૂર્વ ન્યૂઝીલેન્ડ કોચ માઈક હેસન પણ વરુણની પસંદગીને યોગ્ય ગણાવી. તેમણે ટ્વિટ કર્યું, “આજે વરુણ ચક્રવર્તીની પસંદગી ખૂબ જ સ્માર્ટ હતી. રાત્રીના પ્રકાશમાં જો તમે તેને અગાઉ ન જોયો હોય તો તેને રમવું વધુ મુશ્કેલ બની જાય છે.”
ટોસ જીત્યા બાદ ન્યૂઝીલેન્ડે પ્રથમ બોલિંગ કરવાની પસંદગી કરી અને ભારતને 249 રનમાં સમેટી દીધું. ભારત માટે હાર્દિક પંડ્યાએ પ્રથમ ઝટકો આપ્યો, જ્યારે તેણે રાચિન રવિન્દ્રને 6 રને આઉટ કર્યો. ત્યારબાદ વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે મળીને કિવીઓની વિકેટો લેવાનું શરૂ કર્યું. ન્યૂઝીલેન્ડ માટે કેન વિલિયમસન (81) એક અંત સુધી ટક્યો હતો, પરંતુ 41મા ઓવરમાં અક્ષર પટેલે તેને આઉટ કરતાં, ન્યૂઝીલેન્ડની બાકી ટીમ ઝડપથી ઢળી પડી અને 205 રનમાં ઓલઆઉટ થઈ. ભારતે આ મેચ 44 રનથી જીતી અને ગ્રુપ રાઉન્ડમાં મહત્વની જીત મેળવી.
Chakravarthy was a smart selection tonight by @BCCI in the conditions and one that I feared from a @BLACKCAPS point of view in the days leading up. Playing him under lights is even harder if you haven’t faced him much before. Well bowled Varun https://t.co/TeUwgH57XY
— Mike Hesson (@CoachHesson) March 2, 2025
વરુણ ચક્રવર્તી માટે આ સિદ્ધિ માત્ર એક મોટી જીત જ નહીં, પણ 4 વર્ષ જૂના દુબઈમાં વિકેટ ન લઈ શકવાના દુઃખને પણ ભૂલાવી દે તેવો પળ હતો. હવે, તેઓ વનડે અને ટી20માં સતત ભારતીય ટીમ માટે મહત્વના ખેલાડી બની શકે તેવા સંકેત આપી રહ્યા છે.