Sunday, May 18, 2025
Homeસમાચારરાષ્ટ્રીય2011માં જ્ઞાતિ-કોમ સહિતની વિગતો સાથે વસ્તી ગણતરી થઇ હતી, જ્ઞાતિ-કોમના આંકડા જાહેર...

2011માં જ્ઞાતિ-કોમ સહિતની વિગતો સાથે વસ્તી ગણતરી થઇ હતી, જ્ઞાતિ-કોમના આંકડા જાહેર નહીં થાય

લોકસભામાં આ અંગે માહિતી આપતાં રાજયમંત્રી

કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં કહ્યું હતું કે, 2011 ની જાતિ ગણતરીના ડેટા જાહેર કરવામાં આવશે નહીં. કેન્દ્રીય ગૃહ રાજ્ય રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, ગ્રામીણ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રાલયે 2011 માં શહેરી અને ગ્રામીણ વિસ્તારોની સામાજિક-આર્થિક અને જાતિ ગણતરી હાથ ધરી હતી. તે વસ્તી ગણતરીમાં જાતિના ડેટા સિવાયની અન્ય માહિતી બહાર પાડવામાં આવી હતી.

- Advertisement -

સામાજિક ન્યાય અને સહકાર મંત્રાલયને જાતિનો ડેટા રજૂ કરાયો હતો. રાયે લેખિત જવાબમાં જણાવ્યું છે કે મંત્રાલયે હજી સુધી આ આંકડા જાહેર કરવાની કોઈ દરખાસ્ત કરી નથી.

ગૃહ રાજ્યમંત્રી રાજ્યસભામાં જણાવ્યું હતું કે 8353 એનજીઓએ છેલ્લા પાંચ વર્ષમાં તેમના વિદેશી ભંડોળના લાઇસન્સનું નવીકરણ કર્યું નથી. 264 સંગઠનોની નોંધણીઓ પણ રદ કરવામાં આવી હતી. ગયા વર્ષે સરકારે FCRA હેઠળ આધાર ફરજિયાત બનાવ્યા છે. એવાં એનજીઓ માટે ભંડોળનાં લાઇસન્સ, જેનાં આધારની ચકાસણી નથી, તેનું નવીકરણ કરવામાં આવ્યું નથી.

- Advertisement -

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ઘણા આતંકવાદી તાલીમ શિબિરો સક્રિય છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી માટે આ કેમ્પનો ઉપયોગ કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular