Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયસૂર્યયાનનું રિહર્સલ પુરૂં, શનિવારે પ્રક્ષેપણ

સૂર્યયાનનું રિહર્સલ પુરૂં, શનિવારે પ્રક્ષેપણ

- Advertisement -

ચંદ્રયાન-3 મિશનની અભૂતપૂર્વ સફળતા બાદ ભારતે વધુ એક મિશન હાથ ધર્યું છે- મિશન આદીત્ય એલ-1 ભારતનું આ પ્રથમ સોલાર મશીન સૂર્યના અંતરિક્ષનો અભ્યાસ કરવા સજજ છે અને શનિવારે તા.2 સપ્ટેમ્બરે આ મિશન લોન્ચ થશે. ઈસરોએ આ મામલે જાણકારી આપતા જણાવ્યું હતું કે શનિવારે થનારા લોન્ચીંગનું રિહર્સલ અને રોકેટની આંતરિક તપાસ પુરી થઈ ગઈ છે.મિશન આદીત્ય એલ-1 ચાર મહિનાની સફર કરી 15 લાખ કિલો મીટર દૂર લેંગ્રેજિયન-1 પોઈન્ટ પર પહોંચશે અને ત્યાંથી સૂરજની અંતરિક્ષના મોસમ પર પડતી અસરનું અધ્યયન કરશે. ઈસરોએ મંગળવારે આદીત્ય એલ 1 થી સજજ લોન્ચ વ્હીકલ પીએસએલવીસી-57 ની તસ્વીરો શેર કરી હતી. લોન્ચ વ્હીકલ પીએસએલવીસી-57ને શ્રીહરિકોટાના લોન્ચ પેડ પર પહોંચાડી દીધું છે. આદિત્ય એલ-1 સૂરજની સપાટી પર કોરોનલ હિટીંગ, કેરોનલ માસ ઈંજેકશન, પ્રી ફલેયર અને ફલેયર ગતિવિધિઓને સમજવાનો પ્રયાસ કરશે. સૂરજ પર આવતા સૌર તૂફાનોનો પણ અભ્યાસ કરવામાં આવશે આદિત્ય એલ 1 સૂર્યનું અધ્યયન કરનાર પહેલ અંતરિક્ષ લેબોરેટરી બનશે. આ પુરી રીતે સ્વદેશી મિશન છે. આદિત્ય એલ 1 તા.2 સપ્ટેમ્બર શનિવારે સવારે 11.50 વાગ્યે લોન્ચ કરાશે.આ અંતરિક્ષ યાત વિભિન્ન તરંગ બેન્ડોમાં પ્રકાશમંડળ, ક્રોમોસ્ફીયર અને સૂર્યના સૌથી બહારના પડો, કોરોનાનું નિરીક્ષણ કરવા માટે પોતાની સાથે સાત પેલોડ લઈ જશે. આદિત્ય એલ-1 પોતાની સાથે અન્ય ઉપકરણો સૂર્યના વ્યાપક અધ્યયન અને ઓબ્ઝર્વેશન માટે લઈ જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular