Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરસગીરા ઉપર દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા

જામનગર તાલુકાની સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં અદાલત દ્વારા આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે. ભોગ બનનારને રૂપિયા બે લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.

- Advertisement -

આ કેસની વિગત મુજબ ફરિયાદીની 16 વર્ષ અને 6 માસવાળી ઉપર તેમના જ પાડોશમાં રહેતો પરિણી યુવાન ફિરોઝભાઇ ગનીભાઇ ચમડિયા ભોગ બનનાર તેણીના ઘરે એકલી હોય તે દરમ્યાન આવી સગીરાની ઇચ્છા વિરૂદ્ધ બળજબરીથી અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો. આ અંગે સગીરાએ તેના માતા-પિતાને વાત કરતાં તેણીના પિતા દ્વારા આરોપી વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાતા આરોપી ફિરોઝની પોલીસ દ્વારા ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવ્યો હતો.

આ કેસ ચાલતા દલીલો તથા રજૂઆતો ઘ્યાને લઇ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ વી. પી. અગ્રવાલએ આરોપી ફિરોઝ ગનીભાઇ ચમડિયાને દસ વર્ષની કેદની સજા તથા દંડનો હુકમ કર્યો હતો. આ કેસમાં ભોગ બનનાર પીડિતાને રૂપિયા બે લાખ ચૂકવવા પણ હુકમ કર્યો હતો.

- Advertisement -

આ કેસમાં ફરિયાદી તરફે વકિલ કિરણભાઇ બગડા, જયન ડી. ગણાત્રા તથા પાર્થ કિરણભાઇ બગડા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular