Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ધરારનગરમાં મહિલાની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગરના ધરારનગરમાં મહિલાની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

- Advertisement -

જામનગર શહેરના ધરારનગર – 1 વિસ્તારમાં રહેતી મહિલાએ તેણીના ઘરે લાકડાની આડીમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર 1 વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે રહેતાં મુમતાઝબેન ઉર્ફે બબુ એઝાજભાઈ ઉર્ફે બોદુભાઈ રફાઈ (ઉ.વ.34) નામની મહિલાએ બુધવારે વહેલીસવારના સમયે તેના ઘરે કોઇ કારણસર ન્હાવાની ચોકડીમાં ઉપરના ભાગે આવેલી લાકડાની આડીમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા પીઆઇ એચ.પી. ઝાલા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી જાહીદાબેન કાતીયાર નામના મહિલાના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા શહેર ડીવાયએસપી તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular