રૂપાલી ગાંગુલીના શો ‘અનુપમા’ના સેટ પર આજે સવારે ભીષણ આગ લાગી હતી. જોકે, આગને સમયસર કાબુમાં લેવામાં આવી હતી. કોઈના જીવને જોખમ હોવાની કોઈ માહિતી નથી. પર કાબુ મેળવ્યો. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ સમાચાર નથી.
View this post on Instagram
મળતી માહિતી મુજબ, મુંબઈના ફિલ્મ સિટીમાં સ્થિત ‘અનુપમા’ના સેટ પર આજે સવારે 7 વાગ્યે શૂટિંગ શરૂ થવાનું હતું. પરંતુ શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ સવારે 6 વાગ્યે ત્યાં ભીષણ આગ લાગી ગઈ. સુરક્ષા અને કેટલાક ક્રૂ સભ્યો સિવાય, સેટ પર કોઈ કલાકાર કે સ્ટાફ હાજર નહોતો. તેથી, ભીષણ આગ છતાં, કોઈ જાનહાનિના સમાચાર નથી. આ આગમાં આખો સ્ટુડિયો બળીને રાખ થઈ ગયો છે.