Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં 544 આવાસનો ડ્રો યોજાયો

Video : જામનગરમાં 544 આવાસનો ડ્રો યોજાયો

બેડેશ્વર આવાસનુ લોકાર્પણ તથા ગૃહપ્રવેશ કાર્યક્રમ સંપન

- Advertisement -

ગુજરાત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની  ઉપસ્થિતિ મા  પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી તથા ગ્રામ્ય ના કાર્યક્રમ નું જીવંત પ્રસારણ સમગ્ર ગુજરાત રાજ્યમાં થવાનું હોય,  જેના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ વીર સાવરકર ભવન આવાસ યોજના બેડેશ્વર ખાતે   આવાસનું લોકાર્પણ  તથા ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા  “વીરસાકવર ભવન” ખાતેના આ કાર્યક્રમ નીશરૂઆત  દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 59 ની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો , યોગ નીદર્શન અને એનડીસી ગ્રુપ દ્વારા સ્વચ્છ ભારત જન જાગૃતિ વિષયક નાટક યોજાયું હતું,

- Advertisement -

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામ્ય અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે rs. 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલ આંતરિક માળખાકીય વ્યવસ્થા અને સુવિધા સભર 42,441 આવાસનું  લોકાર્પણ અને  ખાત મહૂર્ત અને લાભાર્થી દ્વારા બનાવેલ (BLC) આવાસના  ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો,  જેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આવાસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના અંતે ધારાસભ્યઓ,   પદાધિકારીઓ,  અધિકારીઓ ની ઉપસ્થિતિમાં  ગોલ્ડન સીટી ખાતેના 544 આવાસ નો કોમ્પ્યુટર  રાઈસ ડ્રો  કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા  રવિન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,  EWS-2  આવાસ યોજનાનો કાર્યક્રમ આજરોજ અહીં યોજાઇ રહ્યો છે , સરકારના માધ્યમથી સમગ્ર દેશમાં પરિવર્તન આવી રહ્યું છે, આજે આપણા દેશનો આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે જે સમગ્ર દેશનો વિકાસનો અમૃત કાળ બની રહ્યો છે,  કેન્દ્રમાં નરેન્દ્ર ભાઈ મોદીની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન ની  સરકાર દ્વારા ગુજરાત ની વિકાસ યાત્રા આજે મહત્વની બની રહી છે,  ઉપરાંત વૈશ્વિક દરે જોઈએ તો આજે વિશ્વમાં ભારત દરેક ક્ષેત્રમાં મોખરે છે, આર્થિક વ્યવહારની વાત કરીએ મુદ્રા લોન,   આવાસ યોજનાની વાત કરીએ કે પછી સરકારના આરોગ્ય વિભાગની વાત કરીએ કોરોના  કાળ  બાદ વેક્સિનેશનમાં પણ વિશ્વ કક્ષાએ ભારત પ્રથમ ક્રમાંકે  છે, તેમજ આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો તેમાં પણ ભારતની આર્થિક પરિસ્થિતિ વિશ્વના અન્ય દેશો કરતા અત્યંત સારી છે તેમ કહી શકાય છે, આજે અહીં દેશના વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દેશના નાગરિકો ને પોતાનું ઘરનું ઘર હોય તે સ્વપ્ન સાકાર થયું છે, ભારતના આઝાદીના અમૃત કાળમાં આજે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સમગ્ર ગુજરાતમાં આવાસના લોકાર્પણ થઈ રહ્યા છે તે બદલ જામનગરના  ધારાસભ્ય  રીવાબા રવિન્દ્ર સિંહ જાડેજાએ અહીં ઉપસ્થિત લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -

આ કાર્યક્રમમાં ધારાસભ્ય  દિવ્યેશભાઈ અકબરી એ જામનગર મહાનગરપાલિકાના, આવાસ યોજના ના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે આ પહેલા ભારત દેશના કોઈ પણ વડાપ્રધાને નાગરિકો માટે આ પ્રકારનું સ્વપ્ન સેવિયું નહોતું આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતા માટે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તેવી પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવી છે,  આ આવાસ યોજના અત્યંત માળખાકીય સુવિધાઓ સાથેની છે, આવાસ યોજનાના મકાનો જોઈને તો બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ના ધંધાર્થીઓને કોમ્પિટિશન થાય તે પ્રકારના અત્યંત આધુનિક અને સુવિધા સભર આવાસ નું બાંધકામ આજે અહીં જામનગરમાં કરવામાં આવ્યું છે, આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “નલ સે જલ યોજના” થકી લોકોને  પાણીની સમસ્યા માંથી પણ મુક્ત કર્યા છે, આ ઉપરાંત સરકારની અનેક યોજનાઓનો લાભ દેશના તમામ નાગરિકો લઈ રહ્યા છે અહીં ઉપસ્થિત સર્વે આવાસ યોજનાના લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં શહેર મેયર બીનાબેન કોઠારી એ જણાવ્યું હતું કે, આજરોજ સમગ્ર ગુજરાતમાં 42 હજારથી વધુ આવાસ નું લોકાર્પણ થઈ રહ્યું છે એ અત્યંત મહત્વની બાબત ગણી શકાય છે, જામનગરે દરેક ક્ષેત્રમાં આગળ પડતું રહ્યું છે બ્રાસની વસ્તુઓ હોય કે પછી સ્વચ્છતા અભિયાન હોય, કે પછી સ્માર્ટ સિટીની વાત હોય દરેક ક્ષેત્રમાં જામનગર અગ્રીમ હરોળમાં રહ્યું છે, તો પ્રધાનમંત્રી આવાસ યોજના ના બાંધકામમાં પણ જામનગર અગ્રીમ હરોળતા પ્રાપ્ત કરશે, આપણે જુદા જુદા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પ્રધાનમંત્રી આવાસ યોજના ના બાંધકામો પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ, આજે અહીં બેડી વિસ્તારમાં આવાસ યોજનાનું લોકાર્પણ થઈ રહ્યું છે તે પ્રસંગે આવાસ યોજના ના રહેવાસીઓને જણાવીશ કે આપ સહુ અહીં ભાઈચારાથી રહેજો અને આવાસ યોજના બની ગયા બાદ મંડળ બનાવી મેન્ટેનન્સની પણ જાળવણી કરશો તેમ આવાસ યોજનાના લાભાર્થીઓને ખાસ અનુરોધ કર્યો હતો.

ધારાસભ્ય તથા મેયરના ઉદબોધન બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવંત પ્રસારણ શરૂ થયું હતું જેમાં જામનગરના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન  એ વર્ચ્યુઅલ માધ્યમથી આવાસ યોજના ના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો , અને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય  રિવાબા રવિન્દ્ર સિંહ જાડેજા, ધારાસભ્ય  દિવ્યેશભાઈ અકબરી, શહેર મેયર  બીનાબેન કોઠારી,  ડેપ્યુટી મેયર  તપનભાઈ પરમાર ,સ્ટેન્ડિંગ ચેરમેન  મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા  કુસુમબેન પંડ્યા  , કમિશનર  ડી. એન. મોદી  ,કલેકટર બી. એ. શાહ ,  ડીડીઓ  વિકલ્પ ભારદ્વાજ , ડીએમસી  ભાવેશભાઈ જાની , ઈડીપી મેનેજર  મુકેશભાઈ વરણવા  , શહેર ભાજપ અધ્યક્ષ  વિમલભાઈ કગથરા, દંડક  કેતનભાઇ,  મહામંત્રી  પ્રકાશભાઈ બાંભણિયા,   વિજયસિંહ જેઠવા અને  જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular