Tuesday, April 16, 2024
Homeરાજ્યજામનગરજામનગર એલસીબીના ત્રણ પોલીસકર્મી વિરૂધ્ધ ગુનો નોંધાયો

જામનગર એલસીબીના ત્રણ પોલીસકર્મી વિરૂધ્ધ ગુનો નોંધાયો

ગુજસીટોકના આરોપી પૂર્વ પોલીસકર્મી વશરામ આહિર, મિતેશ પટેલ તથા કમલેશ રબારી વિરૂધ્ધ તપાસ

- Advertisement -

જામનગરમાં એક યુવાનને ગોંધી રાખી, માર મારવાના તથા ઇલેકટ્રીક શોક આપવાના મામલામાં જામનગર પોલીસના એક પૂર્વકર્મી અને બે હાલના કર્મીઓ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે અને તપાસનો આદેશ થયો છે.

- Advertisement -

જામનગરના રણજીતસાગર રોડ પર પ્રણામીનગર ખાતે રહેતાં મહાવીરસિંહ દેવાજી જાડેજાને 2018ની 29મી ઓગસ્ટે સાંજે પાંચ વાગ્યાની આસપાસ એલસીબીના તત્કાલીન એએસઆઇ વશરામ આહિર તથા બે પોલીસ કોન્સ્ટેબલ કમલેશ રબારી અને મિતેશ પટેલ કારમાં બેસાડી એલસીબી ઓફિસે લઇ ગયાં હતા. એવું જાહેર થયું છે. બાદમાં આ પોલીસકર્મીઓએ મહાવિરસિંહના સાળા જયરાજસિંહ સોઢાએ કરેલી પોલીસ વિરૂધ્ધની ફરિયાદ પાછી ખેંચવાનું કહી મારકૂટ કરી હતી અને ઇલેકટ્રીક શોક આપ્યાં હતાં. એવી રજુઆત થઇ છે. 31મી ઓગસ્ટે મહાવિરસિંહ જામીનમૂકત થયા ત્યારે તેને ધમકી આપવામાં આવી હતી.એ મતલબની ફરિયાદ જે-તે સમયે જામનગરની અદાલતમાં થઇ હતી.

આ ફરિયાદના અનુસંધાને અદાલતે જવાબદાર પોલીસકર્મીઓ વિરૂધ્ધ ગુનો નોંધાવનો આદેશ કરતાં સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે. સીટી એ ડિવિઝનના પીઆઇ એમ.જે.જલુ એ જણાવ્યું છે કે, અદાલતના આદેશ પ્રમાણે સીઆરપીસી 154 મુજબ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular