કોંગ્રેસ નેતા અધિરંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને અપમાનજનક નિવેદન કરતા જામજોધપુર ભાજપ દ્વારા ગાંધીચોકમાં દેખાવો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સોનિયા ગાંધી વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસ નેતાનું બેસણુ યોજી મરશીયા ગાઇ આશ્ર્ચર્યજનક વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ તકે પૂર્વ મંત્રી ચિમનભાઇ શાપરીયા, જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ચેતનભાઇ કડીવાર, જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઇ રાબડીયા, ભાજપ અગ્રણી અમુભાઇ વૈશ્ર્નાણી, પ્રફુલ્લભાઇ ભાલોડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.