Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતભાજપાના કાર્યકર્તાઓ લોકોને આરોગ્ય વિશે માર્ગદર્શન આપશે

ભાજપાના કાર્યકર્તાઓ લોકોને આરોગ્ય વિશે માર્ગદર્શન આપશે

આ માર્ગદર્શનના બદલામાં કાર્યકરોને વેતન આપવામાં આવશે : કોરોનાની બીજી લહેરમાં સરકારની પ્રતિષ્ઠાને થયેલું નુકસાન સરભર કરવા કવાયત

કોરોનાની બીજી લહેરમાં ખરાબ રીતે પીટાયા બાદ હવે ગુજરાત સરકાર આરોગ્ય સંબંધિત કામગીરી માટે એક અલાયદા બોર્ડની રચના કરવા જઇ રહી છે. આરોગ્ય વિભાગના મર્યાદિત સ્ટાફની સામે આ એક વધારાની ફોર્સ રહેશે, જે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વયંસેવક તરીકે આરોગ્યલક્ષી કામગીરી કરશે. જોકે આ સ્વયંસેવકો લોકોની સારવાર કરવાને બદલે તેમને માર્ગદર્શન આપવાનું કામ કરશે.

- Advertisement -

ગુજરાત ભાજપે આ માટે તૈયારી શરૂ કરી દીધી છે અને તે માટે બુધવારે પક્ષના યુવાન કાર્યકર્તાઓને કમલમ પર બોલાવી માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં નવનિયુક્ત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. આ વ્યવસ્થા અનુસાર ગુજરાતમાં તમામ જિલ્લા, તાલુકા, બ્લોક અને બૂથ લેવલ સુધી કમિટી બનાવવામાં આવશે. આ કમિટીમાં એક તબીબ અને તેની સાથે પક્ષના યુવાન કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવશે જેમાં એક કે તેથી વધુ સભ્ય મહિલા રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્વયંસેવકોને હોમગાર્ડ જવાનો અને સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ બોર્ડના સભ્યોની જેમ માનદ વેતન અપાશે. આ તમામ સમિતિના સર્વોચ્ચ સ્થાને ભાજપના નેતા તથા સરકારી સભ્યો તરીકે સનદી અધિકારીની નિમણુંક કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular