ઉત્તરાખંડ પોલીસ દ્વારા ભાજપાના ઇશારે રાહુલ ગાંધી સામે ખોટી રીતે FIR દાખલ કરાયાના આક્ષેપ સાથે જામનગરમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
બંધારણીય મૂલ્યોના ગંભીર અપમાન સામે કાર્યવાહી કરવાને બદલે આરએસએસ અને ભાજપાના ઇશારે ઉત્તરાખંડ પોલીસ દ્વારા રાહુલ ગાંધી સામે ખોટી રીતે એફઆઇઆર દાખલ કર્યાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આથી આ ફરિયાદ પાછી ખેંચે તેવી માંગણી સાથે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ શહેર કોંગ્રેસ કાર્યાલયથી રેલી યોજી હતી. જેમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર સહારાબેન મકવાણા, ડો. તૌસિફખાન પઠાણ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ-હોદેદારો જોડાયા હતા.
View this post on Instagram


