Monday, August 10, 2026
Homeરાજ્યજામનગરભારતમાં આસુરી શક્તિના સર્વનાશ અર્થે જામનગરમાં હિન્દુ સેનાએ ભૈરવ યજ્ઞ કરી સ્થાપના...

ભારતમાં આસુરી શક્તિના સર્વનાશ અર્થે જામનગરમાં હિન્દુ સેનાએ ભૈરવ યજ્ઞ કરી સ્થાપના દિવસ ઉજવ્યો – VIDEO

ભારતમાં કોઈના કોઈ બહાને અસુરી શક્તિએ પ્રકોપ ફેલાવ્યો છે. આ દેશને તોડવા અસુરી શક્તિનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે ઘણા સાંપ્રદાયો હાથ ધોઈ હિન્દુ સનાતન ધર્મને મિટાવવા આગળ વધી રહ્યા છે આ એક અસુરી શક્તિ સામે લડવા ભૈરવ યજ્ઞ દ્વારા હિન્દુ સેના પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે ખરેખર આ દેશમાં હિન્દુ સનાતન ધર્મ પર મોટા સંકટો આવી રહ્યા છે અને જેમાં મોટા સંડયંત્રો ચાલી રહ્યા છે તેમજ અન્ય સંપ્રદાયો પોતાના ધર્મને લઈ હિન્દુ સનાતન ધર્મને તોડવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં લવ જેહાદ, લેન્ડ જેહાદ, આતંકવાદ જેવા અનેક પરિબળો કામ કરી રહ્યા છે, જેની સામે હિંદુ સેના સખત સંઘર્ષ સાથે લડી રહી છે અને હિન્દુ સેનાને 15 વર્ષ પૂર્ણ કરી 10 ઓગસ્ટે 16 માં વર્ષ માં પ્રવેશતા હિન્દુ સેના આસુરી શક્તિના નાશ માટે ભૈરવ યજ્ઞ કરી હિન્દુ સેનાના સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે.

- Advertisement -

જેમાં હિન્દુ સેના ના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ તેમજ સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન ની આગેવાની સાથે કરોડપતિ હનુમાનજી મંદિર જામનગર એટલે કે શ્રી રઘુવંશી હનુમાનજી મંદિરના સ્થાન પર રાત્રે દરમ્યાન કર્મકાંડી કપિલ મેરેજના માર્ગદર્શન થી ચિરાગ ભટ્ટ તેમજ મંદિરના પૂજારી કિશોર ભગતની મહેનતથી આ મંદિરમાં આવેલા હિન્દુ સેના સૈનિકોમાં કોષાધ્યક્ષ વીરજીભાઈ વિશાવાડીયા, યુવા ઉપપ્રમુખ હિરેન ચંદન, મંથન અઘેરા, ઓમ ભાનુશાળી, સંગઠન મંત્રી વિવેક જાખરીયા, યજ્ઞના યજમાન મનોજ સાઈ, યુવા પ્રભારી કિશન નંદા, અજય પરમાર, જયેશ રાંદલપરા, મંથન પારેખ, કુમાર ચાવડા સહિતના અનેક સૈનિકો ની હાજરીમાં આ યજ્ઞ યોજાયો હતો તેમજ અસુરી શક્તિના નાશ માટે હિન્દુ સેનાના સૈનિકોએ 16માં સ્થાપના દિવસ નિમિત્તે યજ્ઞ સાથે પ્રાર્થના પણ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular