ઓખામંડળના વરવાળા વિસ્તારના યુવાનએ કેન્સરની બિમારીથી કંટાળીને અગ્નિસ્નાન કરી લેતાં મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની તપાસ આદરી હતી.
આ બનાવની વિગત મુજબ ઓખા મંડળના વરવાળા વિસ્તારમાં રહેતા નીતિનભાઈ રવજીભાઈ પાણખાણીયા (ઉ.વ.42) નામના પ્રજાપતિ યુવાન છેલ્લા આઠેક મહિનાથી કેન્સરની બીમારીથી પીડાતા હતાં. આ બીમારીથી કંટાળીને તેમણે પોતાના ઘરે પોતાના હાથે પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપી લેતા તેમનું ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કપિલભાઈ રવજીભાઈ ગોહેલએ પોલીસને કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.


