નવી દિલ્હી ખાતે આયોજીત એઆઇ સમીટમાં રાહુલ ગાંધી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી તથા કોંગ્રેસ દ્વારા કરાયેલ એઆઇ સમીટમાં વિરોધને લઇ ભાજપામાં આક્રોશ છવાયો છે. જામનગર શહેર ભાજપા મહિલા મોરચા દ્વારા શહેરના પવનચકકી ખાતે ધરણા યોજી કોંગ્રેસના રાહુલ ગાંધી વિરૂઘ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
View this post on Instagram
જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કોર્પોરેટરો ડીમ્પલબેન રાવલ સહિતના મહિલાઓ દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરૂઘ્ધના પોસ્ટરો લઇ સુત્રોચ્ચાર કરી ધરણા કર્યા હતાં. અને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.


