Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાની આઈ.ટી.આઈ. કચેરીમાં આગ, વિદ્યાર્થીઓમાં દોડધામ

ખંભાળિયાની આઈ.ટી.આઈ. કચેરીમાં આગ, વિદ્યાર્થીઓમાં દોડધામ

ખંભાળિયા નજીક જામનગર માર્ગ પર આવેલી રોજગાર કચેરી (આઈ.ટી.આઈ.) ખાતે મંગળવારે બપોરે આશરે દોઢેક વાગ્યાના સમયે એકાએક આગ લાગી હતી. આઈટીઆઈમાં રહેલા પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આ આગ લાગી હોવાનું કહેવાય છે. ત્યારે કોલેજના સમયે આ આગ લાગતા વિદ્યાર્થીઓમાં દોડધામ મચી જવા પામી હતી.

- Advertisement -

આગના સ્થળેથી વિદ્યાર્થીઓ દૂર ચાલ્યા જતા કોઈ મોટી જાનહાની થઈ ન હતી. આ બનાવ અંગે ડિઝાસ્ટર કંટ્રોલ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારની સૂચના મુજબ સ્ટાફના ઈર્શાદભાઈ, જયપાલસિંહ વિગેરેએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular