Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરએસ.ટી. નિગમના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઇ વિરોધ પ્રદર્શન - VIDEO

એસ.ટી. નિગમના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઇ વિરોધ પ્રદર્શન – VIDEO

- Advertisement -

એસ.ટી. નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ ના આવતા કાલાવડ નાકા બહાર આવેલ ડીવીઝન કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- Advertisement -

એસ.ટી. વિભાગના કર્મચારીઓ દ્વારા ફિકસ પગારના કર્મચારીઓને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબનો લાભ આપ્યો ન હોય. તેમજ ડ્રાઈવર-કંડકટરના ગે્રડ પે માં થયેલ સુધારા સંદર્ભે સિનીયર જુનીયર કર્મચારીઓના પગાર બાબતે રહેલ વિસંગતતા દુર કરવા તેમજ વર્ગ-4 પાર્ટટાઈમ કર્મચારીઓને વર્ષ 2022 ના બોનસનો લાભ આપ્યો નથી તે ચડત બોનસ આપવા સહિતના પડતર પ્રશ્ર્નોને લઇ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા એસ.ટી. વિભાગના કર્મચારીઓ દ્વારા કાલાવડ નાકા બહાર આવેલ ડીવીઝન કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular