Friday, September 20, 2024
Homeરાજ્યગુજરાતનાગરિકોએ આગામી તા.14 ઓગસ્ટ સુધીમાં ગત તા.14 એપ્રિલ સુધીમાં ખરીદ કરેલા સ્ટેમ્પનો...

નાગરિકોએ આગામી તા.14 ઓગસ્ટ સુધીમાં ગત તા.14 એપ્રિલ સુધીમાં ખરીદ કરેલા સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો

- Advertisement -

રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958 ની કલમ 32-ક ના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી એટલે કે એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ-2011 ના ભાવોમાં ગત તા.15 એપ્રિલથી વધારો અમલમાં આવ્યો છે. જેથી, ગત તા.15 એપ્રિલ કે તે પછી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે અત્રે જણાવેલી બાબતોનું અરજદારોએ ખાસ રીતે પાલન કરવાનું રહેશે.

- Advertisement -

ગત તા.15/04/2023 કે તે પછી નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજ તા.15/04/2023 પહેલાં કરી આપેલ હોય અને ગત તા.14/04/2023 સુધીમાં પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હોવું જોઈએ. તેમજ જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલો હોવો જોઇએ. તો આ દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજુ થશે તો તે દસ્તાવેજમાં તા.15/04/2023થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં. તે પહેલાના ભાવ વધારા સિવાયના જુની જંત્રીના ભાવ મુજબ દસ્તાવેજમાં મિલકતની બજાર કિંમત તથા સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવશે.

ગત તા.15/04/2023 પહેલા સહી થયેલા હોય અને તા.15/04/2023થી ચાર માસ એટલે કે આગામી તા.14 ઓગસ્ટ સુધીમાં દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવશે, તો તેમને જુની જંત્રીનો લાભ આપવામાં આવશે. ઉક્ત ચાર માસની સમય મર્યાદા પૂર્ણ થવામાં થોડાક જ દિવસ બાકી હોવાથી, જેના દસ્તાવેજમાં ગત તા.15/04/2023 પહેલાં મત્તુ થયેલ હોય અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ હોય, તો તે લેખ નોંધણી અધિનિયમ મુજબ ચાર માસની સમયમર્યાદામાં આગામી તા.14/08/2023 સુધીમાં નોંધણી કરાવી લેવાનું રહેશે.

- Advertisement -

જે પક્ષકારોને કોઈપણ કારણોસર દસ્તાવેજ નોંધણી કરાવવાની ન હોઈ અથવા સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો ન હોય તો, તે સ્ટેમ્પ ખરીદ કર્યાની તારીખથી છ માસની સમય મર્યાદામાં રીફંડ માટે સક્ષમ અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે. જેની જામનગરની જાહેર જનતાને ખાસ નોંધ લેવા માટે નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્ર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular