Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના 25 પૈકી 17 જળાશયો છલકાયા

જામનગર જિલ્લાના 25 પૈકી 17 જળાશયો છલકાયા

- Advertisement -

- Advertisement -

રવિવાર રાતથી જામનગર જિલ્લામાં શરૂ થયેલાં અનરાધાર વરસાદે જિલ્લાના જળાશયોને પાણીથી લબાલબ કરી દીધા છે. માત્ર ગણતરીના કલાકોમાં જિલ્લાના કુલ 25 મધ્યમકક્ષાના જળાશયો પૈકી 17 જળાશયો છલકાય ગયા છે. જયારે ત્રણ જળાશયો 80 ટકાથી વધુ ભરાય ગયા છે. જિલ્લાના છલકાયેલા જળાશયોના પાણી હેઠવાસના વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જી રહ્યા છે.

જિલ્લાના કયા જળાશયો છલકાયા

- Advertisement -

ફુલઝર-1, સપડા, બાલંભડી, વોડીસાંગ, વાઘડિયા, રણજીતસાગર, આજી-4, ઉંડ-1, ઉંડ-2, ફુલઝર(કોબા), ઉમિયાસાગર, વિજરખી, કંકાવટી, ઉંડ-3, ફોફળ-2, ઉંડ-4 અને રૂપારેલ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular