Thursday, April 18, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં 2022-23 દરમિયાન રૂા.3,194 કરોડના ખર્ચે 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના મંજૂર/સ્વીકૃત/મંજૂરી હેઠળ

ગુજરાતમાં 2022-23 દરમિયાન રૂા.3,194 કરોડના ખર્ચે 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના મંજૂર/સ્વીકૃત/મંજૂરી હેઠળ

ગુજરાતમાં રૂા.50,013 કરોડના ખર્ચે 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ છેલ્લાં ત્રણ વર્ષમાં પૂર્ણ / નિર્માણ હેઠળ / પુરસ્કૃત

- Advertisement -

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા આગામી ત્રણથી પાંચ વર્ષ માટે ગુજરાત માટે મંજૂર કરાયેલા નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેકટ સહિતની વિગતો રાજ્યસભામાં માંગી હતી. જેના પ્રત્યુતરમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં રૂા.50,013 કરોડના ખર્ચે 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ પૂર્ણ/નિર્માણ હેઠળ/પુરસ્કૃત છે. તેમજ 2022-23 દરમિયાન ગુજરાતમાં 3194 કરોડના ખર્ચે 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના મંજૂર/સ્વીકૃત/મંજૂરી હેઠળ છે.

- Advertisement -

ગુજરાતમાં વર્ષ 2022-23 દરમિયાન રૂા. 3,193.53 કરોડના ખર્ચે 15 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા મંજૂર અથવા સ્વીકૃત કરવામાં આવી છે અથવા મંજૂરી હેઠળ છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, કુલ રૂ. 50,013 કરોડના ખર્ચે અને કુલ 2077.46 કિલોમીટરની લંબાઇને આવરી લેતી 84 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓની સાથે નદી ઉપરના પૂલ, નાના અને મોટા પૂલ અને બ્લેક સ્પોટ રેટીફિકેશન પ્રોજેક્ટ જેવા 15 પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા છે અથવા નિર્માણ હેઠળ છે અથવા તો તેના કામ આપી દેવામાં આવ્યા છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ 15 માર્ચના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્ર્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. નથવાણીએ ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં પૂર્ણ થયેલા/નિર્માણ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટની કુલ લંબાઈ અને ખર્ચનો સમાવેશ સાથેની વિગતો ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી હતી. તેમણે આગામી ત્રણથી પાંચ વર્ષ માટે ગુજરાત રાજ્ય માટે મંજૂર કરાયેલા નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ (આયોજિત રોકાણો સહિત) વિશેની વિગતો પણ માંગી હતી.

- Advertisement -

પ્રત્યુત્તરમાં આગામી ત્રણથી પાંચ વર્ષ માટે પ્રસ્તાવિત યોજનાઓ પરના પ્રશ્ર્નના સંદર્ભમાં મંત્રીએ જવાબ આપ્યો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ અને જાળવણી એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ડીપીઆર, ટ્રાફિકનું પ્રમાણ, અગ્રતાક્રમ અને સંસાધનોની ઉપલબ્ધતાના આધારે ક્રમિક વર્ષોમાં હાથ ધરવામાં આવનાર યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. મંત્રીએ એમ કહીને પ્રશ્ર્નનો ઉત્તર પૂર્ણ કર્યો હતો કે આગામી ત્રણથી પાંચ વર્ષ માટે કોઈ યોજનાને મંજૂરી આપવામાં આવી નથી.

આગામી સમયની મહત્વની યોજનાઓ:
સાબરમતી નદી પર 820 કરોડના ખર્ચે ફોર લેન એલિવેટેડ કોરિડોર, શાસ્ત્રી બ્રિજ સહિત
સાબરમતી નદી પર રૂા. 68.42 કરોડના ખર્ચે વધારાનો ફોર લેન બ્રિજ અને તેના એપ્રોચીસ
એનએચ – 68ના પાટણ-ગોઝારિયા વિભાગના કુલ 76.94 કિમી લંબાઈના માર્ગનું રૂ. 1181.34 કરોડના ખર્ચે અપગ્રેડેશન
એનએચ – 927ડી પર ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનના કુલ 58.115 કિમી લંબાઈના માર્ગને પહોળો કરવા તથા તેનું મજબૂતીકરણ કરવા માટે રૂા.246.6 કરોડના ખર્ચે થશ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular