Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયટ્રક ચાલકો માટે બનશે 1000 આરામગૃહ

ટ્રક ચાલકો માટે બનશે 1000 આરામગૃહ

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં ટ્રક અને ટેક્સી ડ્રાઈવરો માટે મોટી જાહેરાત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે ટ્રક અને ટેક્સી ચલાવનારા ડ્રાઈવરો આપણી સામાજિક અને આર્થિક વ્યવસ્થાનો અભિન્ન અંગ છે. ઘણીવાર આ ડ્રાઇવરો કલાકો સુધી સતત ટ્રક ચલાવે છે. તેમની પાસે આરામ માટે સમય નથી.

- Advertisement -

કેન્દ્ર સરકારે મુસાફરી દરમિયાન ડ્રાઇવરોને આરામ આપવા માટે નવી યોજના પર કામ શરૂ કર્યું છે. આ યોજના હેઠળ તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ડ્રાઈવરો માટે નવી સુવિધાઓ સાથે આધુનિક ઈમારતોનું નિર્માણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 1000 આધુનિક રેસ્ટ હાઉસ બનાવવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું કે દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમની સરકારના ત્રીજા કાર્યકાળમાં દેશ ચોક્કસપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. પીએમ મોદીનું આ નિવેદન એપ્રિલ-મેમાં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએની જીતમાં તેમનો વિશ્વાસ દર્શાવે છે. તેમણે કહ્યું કે આજનો ભારત 2047 સુધીમાં વિકસિત ભારત બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે.

- Advertisement -

ગ્રીન ઈંધણ પર ચાલતા વાહનોની સંખ્યામાં થયેલા જંગી વધારાનો ઉલ્લેખ કરતા પીએમએ હળવાશથી કાર્યક્રમમાં હાજર ઓટો સેક્ટરના સીઈઓ અને માલિકોને કહ્યું કે ચિંતા ન કરો, આવકવેરા વિભાગ સાંભળતું નથી. ગભરાશો નહીં. તમારે આગળ વધવું પડશે અને તેનો લાભ લેવો પડશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે લગભગ રૂ. 10 હજાર કરોડનું રોકાણ કર્યું છે. સંશોધન અને પરીક્ષણના સુધારા માટે 3,200 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે 2014 પહેલા છેલ્લા 10 વર્ષમાં 12 કરોડ વાહનોનું વેચાણ થયું હતું પરંતુ 2014થી અત્યાર સુધીમાં દેશમાં 21 કરોડથી વધુ વાહનોનું વેચાણ થયું છે. 10 વર્ષ પહેલા લગભગ 2,000 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થતું હતું જ્યારે હવે 12 લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થઈ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular