Friday, March 29, 2024
Homeરાજ્યહાલારજામજોધપુરના શેઠવડાળામાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત

જામજોધપુરના શેઠવડાળામાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત

અગમ્યકારણોસર દવા ગટગટાવતા બેશુદ્ધ : જી. જી. હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ

- Advertisement -

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં આવેલી આંબેડકર સોસાયટીમાં રહેતા ડ્રાઈવિંગ કરતા યુવાને તેના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના આંબેડકરનગર સોસાયટીમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા અશ્વિનભાઈ નારણભાઈ બથવાર (ઉ.વ.35) નામના યુવાને ગત તા.21 ના રોજ સવારના સમયે તેના ઘરે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા બેશુદ્ધ હાલતમાં યુવાનને સારવાર માટે જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા નારણભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular