Wednesday, April 17, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દરેડમાં પતિએ બહાર જવાની ના પાડતાનું લાગી આવતાં પત્નિનો આપઘાત

જામનગરના દરેડમાં પતિએ બહાર જવાની ના પાડતાનું લાગી આવતાં પત્નિનો આપઘાત

લોખંડ ના એંગલમાં ચુંદડી બાંધી આપઘાત

- Advertisement -

જામનગરમાં દરેડ GIDC ફેસ 3 પ્લોટ નં ૩૩૮૯માં મહિલાને તેણીના પતિ એ બહાર જવાની ના પાડતા તેનું મનમાં લાગી આવતાં લોખંડ ના એંગલમાં ચુંદડી બાંધી ગળાફાસો ખાઈ  આપઘાત કરતા  નિપજયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરમાં દરેડ GIDC ફેસ 3 પ્લોટ નં ૩૩૮૯માં શ્રી ગીતા ઇન્ડસ્ટ્રીઝમાં સરોજબેન જીતેન્દ્રભાઈ જાટવ નામની મહિલાએ તેણીના પતિ એ બહાર જવાની ના પાડી અને ઓરડીએ રહેવાનું કહેતા તેને  મનમાં લાગી આવતાં શનિવારે રાત્રીનાના સમયે સરોજબેને લોખંડ ના એંગલમાં ચુંદડી બાંધી ગળાફાસો ખાઈ  આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે જીતેન્દ્રભાઈ જાટવ દ્વારા પોલીસને જાણ કરાતા પંચ બી ડીવીઝનના એ.એસ.આઈ. એમ.એલ.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular