Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરજામનગર પોલીસ દ્વારા વધુ બે બુટલેગરોની પાસામાં ધરપકડ

જામનગર પોલીસ દ્વારા વધુ બે બુટલેગરોની પાસામાં ધરપકડ

એકને વડોદરા અને બીજાને સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલાયા

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા બુટલેગરો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી અંતર્ગત એલસીબીએ બે શખ્સો વિરૂધ્ધ પાસાની કરેલી દરખાસ્ત કલેકટરે મંજૂર કરતા બન્નેની ધરપકડ કરી વડોદરા મધ્યસ્થ અને સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા શહેર અને જિલ્લામાં રહેલા બુટલેગરો તથા માથાભારે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી અંતર્ગત પાસા હેઠળ ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર કીર્તિ પાન વાલી શેરીમાં પ્રણામીનગરમાં રહેતાં મહાવીરસિંહ દેવાજી જાડેજા નામના શખ્સ વિરૂધ્ધ પ્રોહિબીશન અને મારામારી તથા પોલીસની ફરજમાં રૂકાવટ સહિતના એક ડઝન ગુના નોંધાયા છે અને રણજીતસાગર રોડ પર મારૂ કંસારા હોલ સામે આવેલા ન્યુ નવાનગર સોસાયટીમાં રહેતા જયરાજસિંહ મહિપતસિંહ સોઢા નામના શખ્સ વિરૂધ્ધ પ્રોહિબીશનના ચાર ગુનાઓ નોંધાયા છે. આ બન્ને શખ્સો વિરુધ્ધ એલસીબીએ કરેલી પાસાની દરખાસ્ત જિલ્લા કલેકટરે મંજૂર કરી હતી.

જેથી એલસીબીના પીઆઇ કે.કે. ગોહિલ સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ખીમભાઈ ભોચિયા, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે બન્નેની ધરપકડ કરી મહાવીરસિંહ જાડેજાને વડોદરા મધ્યસ્થ જેલમાં અને જયરાજસિંહ સોઢાને સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular