Saturday, June 14, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઆશા કર્મચારીઓ અંગે રાજયોએ દોઢ માસમાં રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે

આશા કર્મચારીઓ અંગે રાજયોએ દોઢ માસમાં રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે

ગામડાંઓમાં આશા કર્મચારીઓને ઓછાં વેતન, ઓછી સુવિધાઓ

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગામમાં આશાના કર્મચારીઓની ખરાબ પરિસ્થિતિને જોતાં કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ મોકલી છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં આશા કર્મચારીઓની નબળી કામકાજની સ્થિતિના આક્ષેપો પર પંચે કેન્દ્ર અને રાજ્યને નોટિસ ફટકારી છે.

પંચે કહ્યું કે જો આ આરોપો સાચા છે તો તે ખૂબ જ ચિંતાજનક મુદ્દો છે, કારણ કે વિશાળ ગ્રામીણ વસ્તીની સંપૂર્ણ આરોગ્ય વ્યવસ્થાપન આ આશા કર્મચારીઓ પર આધારીત છે. એક નિવેદનમાં હ્યુમન રાઇટ્સ કમિશને જણાવ્યું છે કે આયોગ કર્મચારીઓના સમર્થનમાં નોંધાયેલી ફરિયાદ અંગે કમિશને સંજ્ઞાન લીધું છે.

આ ફરિયાદમાં એવી માહિતી આપવામાં આવી છે કે આશા કર્મચારીઓને સમયસર પગાર મળતો નથી અને દેશભરના ગ્રામીણ વિસ્તારોમાં ફન્ટલાઈન કામદારોની જેમ કામ કરતા આશા કર્મચારીઓને સુવિધાઓ આપવામાં આવી ન હતી. સુરક્ષાની દ્રષ્ટિએ જે સુવિધાઓ આપવામાં આવી હોવી જોઇએ.

આ સાથે જ માનવાધિકાર પંચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવો અને રાજ્યોના મુખ્ય સચિવોને પણ નોટિસ પાઠવી છે. આ ઉપરાંત પંચે તમામ સચિવોને આગામી છ સપ્તાહમાં આ મુદ્દે અહેવાલ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આશાના કર્મચારીઓને લગતા તમામ પ્રશ્ર્નોના જવાબ આ અહેવાલમાં આપવો જોઈએ. ઉદાહરણ તરીકે, કેટલા આશા કર્મચારીઓ દરેક રાજ્યમાં કાર્યરત છે, પગાર જેવા કે આશા કર્મચારીઓ અને રોગચાળાને કારણે ચૂકવવામાં આવતી અન્ય બાકી રકમ, આરોગ્યને લગતી સલામતી રિપોર્ટમાં શામેલ કરવી જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular