Wednesday, April 22, 2026
Homeરાજ્યહાલારકાળિયા ઠાકોરને બે માસ સુધી શિતળતા આપતાં પુષ્પશૃંગાર દર્શનનો પ્રારંભ

કાળિયા ઠાકોરને બે માસ સુધી શિતળતા આપતાં પુષ્પશૃંગાર દર્શનનો પ્રારંભ

દ્વારકાના જગતમંદિરમાં દ્વારકાધીશ ભગવાનને ઋતુ અનુસાર શૃંગાર, ભોગ ઈત્યાદિ અર્પણ કરવામાં આવે છે. ગ્રીષ્મ ઋતુના પ્રારંભે અક્ષય તૃતિયાથી અષાઢી બીજ સુધી સતત બે માસ સુધી ઠાકોરજીને ઠંડક અર્પણ કરવાના ભાવ સાથે વિશિષ્ટ પુષ્પ શૃંગાર દર્શનનો પ્રારંભ થતાં સાંજના ભાગે ઠાકોરજીને ઠંડક આપતાં મનમોહક ફુલો તેમજ કળીઓના વિશિષ્ટ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા છે. ગઈકાલે મંગળવારથી સતત બે માસ સુધી ઠાકોરજીને સાંજના સમયે પુષ્પશૃંગાર યોજાશે. આ ઉપરાંત ગ્રીષ્મકાળ દરમ્યાન ઠાકોરજીને ઋતુ અનુસાર ઠંકક આપતાં ભોગ ઇત્યાદિ પણ અર્પણ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular