Tuesday, January 14, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં એનેસ્થેસિયાના તબીબ વિદ્યાર્થીની આત્મહત્યાથી અરેરાટી

જામનગરમાં એનેસ્થેસિયાના તબીબ વિદ્યાર્થીની આત્મહત્યાથી અરેરાટી

એનેસ્થેસિયામાં પ્રથમ વર્ષના રાજકોટના વિદ્યાર્થીએ જિંદગી ટૂંકાવી : પી જી હોસ્ટેલના રૂમ નં 608 માં બનાવ : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગરમાં આવેલી પી.જી.હોસ્ટેલમાં રહેતો અને પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં રાજકોટના રેસીડન્ટ તબીબે તેના રૂમમાં આત્મહત્યા કર્યાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -



બનાવની વિગત મુજબ રાજકોટમાં રહેતો અને જામનગરમાં એનેસ્થેસિયાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો મોલિક પીઠીયા (ઉ.વ.26)નામના રેસીડન્ટ તબીબે આજે સાંજે તેના પી.જી.હોસ્ટેલના રૂમ નં.608માં આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતાં હોસ્ટેલના સ્ટાફ સહિત તબીબ વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતાં. આ અંગેની જાણને આધારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી વધુ તપાસ હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular