Friday, April 19, 2024
Homeઆંતરરાષ્ટ્રીયખેરસોનમાં રશિયાએ ભીષણ હુમલો કર્યો, 21 લોકોના મોત

ખેરસોનમાં રશિયાએ ભીષણ હુમલો કર્યો, 21 લોકોના મોત

- Advertisement -

ખેરસોનમાં આ હુમલા એવા સમયે થયા છે જ્યારે યુક્રેન પર રશિયા દ્વારા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ઘાતક હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સ્થિતિમાં રશિયાના આ હુમલાઓને બદલો તરીકે જોવામાં આવી રહ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ગયા વર્ષે ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે યુક્રેનમાં ભારે તબાહી સર્જાઈ છે. રશિયાએ દાવો કર્યો હતો કે પુતિનને મારવા માટે ક્રેમલિન પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.

- Advertisement -

રશિયાએ આ હુમલા માટે સીધા યુક્રેનને જવાબદાર ઠેરવ્યુ હતું. રશિયાનું કહેવું છે કે ક્રેમલિન પર બે ફાઈટર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ બંને ડ્રોનનો હેતુ રાષ્ટ્રપતિ પુતિન જ્યાં રહે છે તે ક્રેમલિન બિલ્ડિંગને નિશાન બનાવવાનો હતો. રશિયાની સંસદ પણ આ સંકુલમાં જ આવેલી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બંને ડ્રોન ક્રેમલિન સંકુલની ઉપર પહોંચ્યા ત્યારે નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન આ બંને ડ્રોન અથડાયા હતા જેના કારણે તેઓ રશિયન સંસદની છત્ત પર તૂટી પડ્યા હતા. પુતિનનો ગ્રાન્ડ ક્રેમલિન પેલેસ આ સેનેટ બિલ્ડિંગથી માત્ર 300 મીટર દૂર છે. રશિયાએ સત્તાવાર રીતે કહ્યું છે કે યુક્રેને પુતિનની હત્યા કરવા માટે આ બે ડ્રોન મોકલ્યા હતા. આ સામાન્ય ડ્રોન નહીં પરંતુ ફાઈટર ડ્રોન હતા. ફાઇટર ડ્રોન ખતરનાક મિસાઇલો અથવા અન્ય વિસ્ફોટક ઉપકરણોથી સજ્જ હોય છે. તેમાં આવા બ્લેડ લગાવવામાં આવ્યા છે, જે સરળતાથી લક્ષ્યને ખતમ કરી શકે છે. જો કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલા ડ્રોન વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. રશિયાએ અત્યાર સુધી માત્ર એટલું જ કહ્યું છે કે ડ્રોનનો નાશ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular