Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીય26મી જાન્યુઆરીના આમંત્રણ કાર્ડને વાવવાથી આમળાનું ઝાડ ઉગશે

26મી જાન્યુઆરીના આમંત્રણ કાર્ડને વાવવાથી આમળાનું ઝાડ ઉગશે

રાજપથ ખાતેની પરેડમાં પર્યાવરણની જાળવણી માટે રક્ષા મંત્રાલયની અનોખી પહેલ

- Advertisement -

પ્રજાસત્તાક દિને દિલ્હીના રાજપથ પર નિકળતી પરેડ જોવા માટે આ વખતે રક્ષા મંત્રાલયે એવું આમંત્રણ પત્ર તૈયાર કર્યું છે, જે વાવી શકાય તેવું છે, અને તેમાંથી એલોવેરા, આમળા અથવા અશ્વગંધાનો છોડ ઉગશે. ભારત સરકારના રક્ષા મંત્રાલય તરફથી 26 મી જાન્યુઆરીનું આ આમંત્રણ કાર્ડમાં નીચે નાના અક્ષરે એક વાક્ય લખ્યું છે. Sow this card to grow an Amla Plant. એટલે કે આ કાર્ડ વાવીએ એટલે આમળાનું વૃક્ષ ઉગશે.

- Advertisement -

ગણતંત્ર દિવસની પરેડનું આમંત્રણ કાર્ડ Seed Paper એટલે કે બિયારણ મિશ્રિત પેપરમાંથી, એટલે કે બિયારણ જેમાં અંતર્નિહિત છે એવા પેપરમાંથી બનેલું છે. આ પેપરને Plantable  એટલે કે વાવી શકાય એવું પેપર પણ કહેવાય છે. બોટનિકલ અને ટેકનિકલ ભાષામાં કહીએ તો આ બાયોડિગ્રેડેબલ ઇકો પેપર છે. એવો કાગળ કે જેના તમામ તત્વો પ્રાકૃતિક રૂપે પૃથ્વીના તત્વોમાં સમાઈ જાય છે. કાંઈ જ શેષ નથી બચતું. પર્યાવરણની જાળવણી માટે આનાથી શ્રેષ્ઠ અને ઉદાહરણીય બીજું શું હોઈ શકે.

- Advertisement -

પ્રજાસત્તાક દિવસની પરેડનું આ આમંત્રણ કાર્ડ ભેજવાળા માટીના પાતળા લેયરમાં દાટી દેવાનું, થોડા પાણી અને સૂર્યપ્રકાશ વચ્ચે જતનપૂર્વક જોતા રહેવાનું. જોતજોતામાં આ પત્રિકા પાગરશે, આ આમંત્રણ કાર્ડમાંથી અંકુર ફૂટશે.આ વૃક્ષ આમળાનું હશે જેનાથી તંદુરસ્તી વધશે. રક્ષા મંત્રાલય દ્વારા કરવામાં આવેલી આ પહેલ ખરેખર આવકારદાયક છે.

મંત્રાલયનું કહેવું છે કે આ વખતે સેન્ટ્રલ વિસ્ટા અને કોરોના પ્રોટોકોલના નિર્માણ કાર્યને કારણે માત્ર 5-8 હજાર આમંત્રણ પત્રો જારી કરવામાં આવ્યા છે. આના દ્વારા રિસાઇકલ્ડ પેપરના ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને કાગળમાં કાપેલા જંગલોને આ રિસાઇકલ કરેલ સીડ પેપરથી ફરીથી ઉગાડી શકાય તેવો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular