Wednesday, April 22, 2026
Homeરાજ્યહાલારપરપ્રાંતિય નિદ્રાધિન રહ્યાં, તસ્કરો માલમત્તા ઉસેડી ગયા

પરપ્રાંતિય નિદ્રાધિન રહ્યાં, તસ્કરો માલમત્તા ઉસેડી ગયા

બરડિયા ગામમાં રાત્રિના સમયે તસ્કરોનો તરખાટ : રૂા. 10 હજાર રોકડા તથા બે મોબાઇલ સહિત રૂા. 23 હજારનો ધનલાભ કરી ગયા : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

દ્વારકા-પોરબંદર હાઇવે ઉપર બરડિયા ગામમાં પરપ્રાંતિય યુવાનોના રૂમમાં કોઇ તસ્કરો ત્રાટકયા હતા. બે મોબાઇલ સહિત રૂા. 23 હજારની માલમત્તા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર પોરબંદર હાઈવે પર આવેલા બરડિયા ગામે ગત્ તારીખ 19ના રોજ રાત્રિના સમયે કેટલાક પરપ્રાંતિય શ્રમિક યુવાનો સુતા હતા. ત્યારે કોઈ અજાણ્યા તસ્કરો અહીં આવ્યા હતા અને જુદા જુદા આસામીઓના રૂ. 13 હજાર રોકડા તથા રૂપિયા 10,000ની કિંમતના જુદા જુદા બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 23,000નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના રહીશ અને હાલ બરડીયા ગામે રહેતા નંદલાલભાઈ ચૌહાણ રાજપૂતની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી દ્વારકાના પી.એસ.આઈ. પી. કે. ડાંગર દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular