જામનગરના નવા મોખાણા ગામે રાત્રીના સમયે દિપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા પાંજરૂ મુકી દિપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી હતી.

જામનગરના નવા મોખાણા ગામ નજીક વાડી વિસ્તારમાં ગઇકાલે રાત્રીના સમયે દિપડો જોવા મળ્યો હતો. તાલુકા સદસ્ય કિશોરભાઇ આહિરે આ અંગે ફોરેસ્ટ વિભાગની ટીમને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી જઇ દિપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી. દિપડાના ફુટપ્રિન્ટ સહિતની બાબતોને આધારે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ દિપડાની હિલચાલ અંગે માહિતી એકત્ર કરવામાં આવી છે. લોકોને પણ સાવચેત રહેવા અને રાત્રીના સમયે એકલા બહાર ન નિકળવા અથવા કોઇ શંકાસ્પદ હિલચાલ જણાય તો જાણ કરવા અપીલ કરાઇ છે.
View this post on Instagram


