જામનગર શહેર ધર્મની નગરી તરીકે પ્રખ્યાત છે. જ્યાં જૈન સમાજમાંથી ઘણા વિદ્વાન પુત્રોને જન્મ આપ્યા છે. જેમાંથી દિપરત્નસાગરજી મ.સા. જામનગરના છે. શહેરના દેવબાગ જૈન સંઘની પૂર્ણઅમિદ્રષ્ટિ પ્રાપ્ત થઇ રહી છે. તેમણે એક હજાર કરતાં વધુ સાધુ-સાધ્વીને ગચ્છાધિપતિની પદવી અનુદાન કરી છે. ઉપરાંત 700 પુસ્તકો પ્રકાશિત કર્યા છે તથા અનેકવિધ ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેમને જૈનોની ‘શ્રુતસ્થવિર’ની પદવી એનાયતનો કાર્યક્રમ તા. 26 જાન્યુઆરીના રોજ યોજાયો. જામનગરના પનોતા પુત્ર વિશાશ્રી માળી તપગચ્છ જ્ઞાતિના ગૌરવસમા અને દેવબાગ જૈન સંઘની પૂર્ણ અમિદ્રષ્ટિ પ્રાપ્ત એવા તથા આગામ દિવાકરના બિરૂદ પામેલા જૈનમુનિ ડો. દિપરત્નસાગરજી મ.સા.ને 1000 કરતાં વધુ સાધુ-સાધ્વીના ગચ્છનાયક આચાર્ય દોલતસાગરસુરિશ્ર્વરજીના આર્શિવાદ અને અનુજ્ઞાની આચાર્ય સમકક્ષ ‘શ્રુતસ્થવિર’ની પદવી આપવાનો કાર્યક્રમ યોજાયો. વસંત પંચમીના પવિત્ર દિવસે સવારે 7:30 વાગ્યે આ સમારંભ પોપટલાલ ધારશીભાઇ વિદ્યાર્થી ભવન, લાલબંગલા પાસે જામનગરમાં યોજાયો. આ પદવી પ્રસંગ માટે સ્થિત પૂ. પદસ્થ સાધુ ભગવંતોની નિશ્રામાં પ્રાપ્ત કરાયો હતો. અનેક સિધ્ધિ બદલ સાધુ સમુદાય દ્વારા સૌપ્રથમ વખત ‘શ્રુતસ્થવિર’ની પદવી આપવામાં આવી હતી. આ સમારંભને સફળ બનાવવા માટે નિલેશભાઇ શાહ, દેવબાગ જૈન સંઘ સ્ટાફ, હિતેશભાઇ વગેરે કાર્યકર્તાઓ અથાગ પરિશ્રમ કર્યો હતો.