Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરકનસુમરા નજીકની અવાવરૂ જગ્યામાંથી ઇજાગ્રસ્ત યુવક મળી આવ્યો

કનસુમરા નજીકની અવાવરૂ જગ્યામાંથી ઇજાગ્રસ્ત યુવક મળી આવ્યો

પ્રેમપ્રકરણનો ખાર રાખી અપહરણ : અજાણ્યા શખ્સોએ હુમલો કરી અવાવરૂ જગ્યામાં ફેંકી દીધો : સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયો : પોલીસ દ્વારા યુવકના નિવેદનના આધારે કાર્યવાહી

જામનગર તાલુકાના કનસુમરા ગામ નજીક આડેધડ માર મારેલા ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના કનસુમરા ગામ નજીક આવેલ અવાવરૂ જગ્યામાં અજાણ્યા યુવાન ઉપર શખ્સોએ આડેધડ હુમલો કરી, ગંભીર ઇજા પહોંચાડી, ફેંકી દીધો હતો. ત્યારબાદ આ અંગેની જાણ કરાતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમએ સ્થળ પર પહોંચી જઇ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કર્યું હતું. અને ઇજાગ્રસ્ત પાસેથી અસ્વર આશિષ રાણાભાઇ નામનું આધારકાર્ડ મળી આવ્યું હતું. ત્યારબાદ 108ની ટીમે યુવકને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની જાણના આધારે પંચકોષી ‘બી’ ડિવિઝન સ્ટાફ હોસ્પિટલ અને બનાવ સ્થળે દોડી ગયો હતો. જ્યાં ભોગ બનનાર યુવાનનું નિવેદન નોંધવા અને હુમલો કરનારા વિરૂઘ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવક ઉપર પ્રેમપ્રકરણનો ખાર રાખી, અપહરણ કરી હુમલો કરાયો હોવાનું જાણવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular