Friday, April 26, 2024
Homeરાજ્યગુજરાતપ્રેમિકાના જન્મદિવસે જ હત્યા નીપજાવનાર હત્યારા પ્રેમીએ કેટલા ગુના આચર્યા છે?

પ્રેમિકાના જન્મદિવસે જ હત્યા નીપજાવનાર હત્યારા પ્રેમીએ કેટલા ગુના આચર્યા છે?

- Advertisement -

લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં ખેતરે બોલાવી લઇ જઇ પ્રેમિકાની નિર્મમ હત્યા નિપજાવનાર મોટી રાફુદળ ગામના હત્યારાને એલસીબીની ટીમે દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી. આ હત્યારાએ અગાઉ રાજકોટમાં એક પ્રેમિકાની હત્યા નીપજાવી હતી. તેમજ જામનગરમાં એક પ્રેમિકાનું ઘર સળગાવી નાખ્યાની વિગતો બહાર આવી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ આશરે એક માસ અગાઉ લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામની સીમમાં આવેલા ખેતરમાં હત્યા નિપજાવેલો અર્ચના કણજારિયા નામની યુવતીનો મૃતદેહ સાંપડ્યાની ઘટનામાં આ હત્યા તેના પ્રેમી ભાવેશ રણછોડ સોનગરાએ નિપજાવ્યું હોવાની મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી. દરમ્યાન સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા, યશપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે આસામના ગુવાહાટી શહેરમાંથી દબોચી લીધો હતો.
પોલીસની પૂછપરછ દરમ્યાન મૂળ દ્વારકા જિલ્લાનો વતની ભાવેશ સોનગરા નામના હત્યારાએ ગત તા.5 એપ્રિલના રોજ લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં રહેતી તેની પ્રેમિકા અર્ચના કણજારિયાને તેણીના જન્મદિવસે ભાવેશ તેના કાકાના ખેતરે લઇ ગયો હતો. જ્યાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ભાવેશે અર્ચના ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા તથા બોથડ પદાર્થ ઝીંકી હત્યા નીપજાવી હોવાની ભાવેશે કેફીયત આપી હતી તેમજ ભાવેશે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની અન્ય પ્રેમિકાની હત્યા નીપજાવી હતી અને આ પ્રકરણમાં ભાવેશ કોર્ટમાં નિર્દોષ સાબિત થયો હતો. ઉપરાંત જામનગર શહેરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અન્ય યુવતી સાથે પ્રેમ થયા બાદ ભાવેશે તેની પ્રેમિકાના ઘરને સળગાવી દીધું હતું તથા દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ફેક આઇડી બનાવી એક યુવતીનો ફોટો વાયરલ કર્યો હતો.
નાની રાફુદળમાં અર્ચનાની હત્યા નિપજાવી ભાવેશ પીર લાખાસર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર, અમદાવાદ, મુંબઇ, ગોવા, દિલ્હી, ગુવાહાટીમાં નાસતો ફરતો હતો. એલસીબીની ટીમે ગુવાહાટીમાંથી ભાવેશને દબોચી લઇ અદાલતમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular