Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હસમુખભાઇ ફાચરા બિનહરિફ વિજેતા

જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હસમુખભાઇ ફાચરા બિનહરિફ વિજેતા

ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલભાઇ માંડવીયા પણ બિનહરિફ વિજેતા જાહેર થયા

- Advertisement -

જામનગર તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ તથા ઉપપ્રમુખ તરીકેના સુકાનીઓની આજે બિનહરીફ વરણી થઇ હતી. આજની જનરલ બોર્ડમાં આ બંને ઉમેદવારોને સત્તાવાર વિજેતા જાહેર કરાયા હતાં.

- Advertisement -

જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપ દ્વારા હસમુખભાઇ ફાચરા તથા ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલભાઇ માંડવીયાની પસંદગી કરવામાં આવી હતી. આ બંને ઉમેદવારોએ તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતાં. જામનગર તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતિ હોય, કોંગ્રેસ પક્ષે ઉમેદવારી નોંધાવી ન હતી. આથી ભાજપના આ બંને ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતાં. આજે યોજાયેલ જનરલ બોર્ડમાં આ બંને ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.

કોંગ્રેસ દ્વારા જામનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ માટે દાવેદારી રજૂ ન કરતાં બિનહરીફ થયેલા ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ વિજેતા થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા ચૂંટાયેલા સભ્યો અને હોદ્ેદારોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular