લાલપુર વિભાગના પોલીસ સ્ટેશનોમાંથી ઝડપાયેલા 52 લાખની કિંમતના દારૂની બોટલો અને બીયરના ટીન ઉપર પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સરકારી બૂલડોઝર ફરી વળ્યું હતું.

જામનગર જિલ્લાના લાલપુર વિભાગમાં આવેલા પોલીસ મથકોમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવા માટે સરકારી સમિતિના અઘ્યક્ષ એએસપી પ્રતિભાબેન અને લાલપુર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ. જે. અસ્વાર તથા લાલપુર ઇન્ચાર્જ અને મેઘપર પીઆઇ પી. ટી. જયસ્વાલ તેમજ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારી એસ. સી. વાળા, ઇન્ચાર્જ જામજોપુર પીઆઇ વી. એસ. પટેલ તથા શેઠવડાળા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ઝડપાયેલા રૂા. 52,46,367ની કિંમતની ઇંગ્લીશ દારૂની બોટલો, બીયરના ટીન અને ચપટા સહિતના જથ્થા ઉપર ઢાંઢર નદીના કાંઠે અદાલતના આદેશ અન્વયે સરકારી બૂલડોઝર ફેરવી આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.