જામનગરની મુલાકાતે આવેલા રેન્જ આઈજી અશોકકુમાર યાદવે સુરક્ષા મુદે કોઈ કચાસ ના રાખીને તમામ મોરચે સર્તકા દાખવીને વિવિધ કામગીરી સતત કરવાના આદેશ આપ્યા છે. રેન્જ આઈજી જામનગરની મુલાકાતે આવ્યા હતા. જયા ડીવાયએસપી કચેરીનુ ઈસ્પેકશન કર્યુ હતુ. સાથે ક્રાઈમ કોન્ફરન્સ બેઠક યોજી હતી.

અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જ આઈજી દ્વારા જામનગરમાં ક્રાઈમ કોન્ફરન્સ બેઠક યોજી હતી. ક્રાઈમ કોન્ફરસમાં કામગીરી અંગેની માહિતી મેળવીને જરૂરી સુચનો કર્યા હતા. સાથે જામનગર પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા. પહલગામ હુમલા બાદ સૌરાષ્ટ્રના દરીયા કિનારાની સુરક્ષા વધુ સર્તક કરવા આવી છે. સાથે બાંદલાદેશી કે શંકાસ્પદ લોકોની ઓળખ માટે વેરીફીકેશનની કામગીરી સતત કરવા સુચન કરવામાં આવે છે. રેન્જ આઈ અશોકકુમાર યાદવના આગમન સાથે તેનુ સ્વાગત એસપી પ્રેમસુખ ડેલુ, એસએસપી પ્રતિભા, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા દ્વારા કરવામાં કરવામાં આવ્યુ હતુ